Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એઆઇના ઉપયોગથી સ્વર્ગસ્થ મહાનુભાવોના સેલ્ફી જનરેટ કર્યા

એઆઇના ઉપયોગથી સ્વર્ગસ્થ મહાનુભાવોના સેલ્ફી જનરેટ કર્યા

23 March, 2023 11:34 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પોસ્ટે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે તથા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે જૉન મુલરની ભરપેટ પ્રશંસા કરી છે. 

એઆઇના ઉપયોગથી સ્વર્ગસ્થ મહાનુભાવોના સેલ્ફી જનરેટ કર્યા Offbeat News

એઆઇના ઉપયોગથી સ્વર્ગસ્થ મહાનુભાવોના સેલ્ફી જનરેટ કર્યા


આર્ટિ​ફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. દરેક વસ્તુ કે સુવિધાના ફાયદાની સાથોસાથ ગેરફાયદા પણ હોય જ છે. પોતાને એઆઇ ઉત્સાહી ગણાવતા જ્યો જૉન મુલ્લર નામના એક કલાકારે એઆઇની મદદથી મહાત્મા ગાંધી, મધર ટેરેસા, અબ્રાહમ લિન્કન, એલ્વિસ પ્રેસ્લી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા ભૂતકાળના મહાન નેતાઓ તેમ જ મૅરિલિન મનરો, બૉબ માર્લીના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને સેલ્ફી જનરેટ કર્યા છે.  



આ નેતાઓ કે મહાનુભવોના ફોટો સાથેના સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘મારી જૂની હાર્ડ ડ્રાઇવ પુન: પ્રાપ્ત કરતાં મને ભૂતકાળના મિત્રો દ્વારા મોકલવામાં આવેલા સેલ્ફીનો ખજાનો મળ્યો છે.’ આ પોસ્ટે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે તથા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે જૉન મુલરની ભરપેટ પ્રશંસા કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK