વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ૨૦ માર્ચે દિલ્હીમાં મળ્યા હતા. બન્નેએ દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. કિશિદા દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા માટે બે દિવસીય ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેમની મુલાકાતનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 સમિટ માટે આમંત્રણ આપવાનો હતો.