Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરાખંડમાં ભારે પૂર-ભૂસ્ખલન પછી એક નવું તળાવ સર્જાઈ ગયું

ઉત્તરાખંડમાં ભારે પૂર-ભૂસ્ખલન પછી એક નવું તળાવ સર્જાઈ ગયું

Published : 10 August, 2025 10:05 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અચાનક આવેલા પૂરથી વિનાશના દોર બાદ ઉત્તરકાશીમાં હર્સિલ ગામમાં એક નવું તળાવ બની ગયું હતું. પૂરથી નાશ પામેલાં બાંધકામોનો કાટમાળ આ તળાવમાં તરતો જોવા મળ્યો હતો.

ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા પછી તબાહ થઈ ગયેલાં ગામો પર એક નવું તળાવ બની ગયું હતું. આ તળાવમાં ચીજવસ્તુઓ અને કાટમાળ તરતાં જોવા મળ્યાં હતાં

ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા પછી તબાહ થઈ ગયેલાં ગામો પર એક નવું તળાવ બની ગયું હતું. આ તળાવમાં ચીજવસ્તુઓ અને કાટમાળ તરતાં જોવા મળ્યાં હતાં


પાંચમી ઑગસ્ટે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી મચી ગઈ હતી. ચોતરફ ભારે નુકસાનીનાં દૃશ્યો સર્જાયાં હતાં. અચાનક આવેલા પૂરથી વિનાશના દોર બાદ ઉત્તરકાશીમાં હર્સિલ ગામમાં એક નવું તળાવ બની ગયું હતું. પૂરથી નાશ પામેલાં બાંધકામોનો કાટમાળ આ તળાવમાં તરતો જોવા મળ્યો હતો.

ઉત્તરાખંડમાં અચાનક પૂરથી અકલ્પનીય વિનાશ થયો છે જેમાં બચી ગયેલા લોકોએ આ આપત્તિને એક દુઃસ્વપ્ન ગણાવ્યું હતું. શુક્રવારે બપોર સુધીમાં કુલ ૫૬૬ લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે હજી પણ ફસાયેલા ૩૦૦ લોકો માટે બચાવ-કામગીરી ચાલી રહી છે.



આ વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ લોકોએ આ પૂરમાં જીવ ગુમાવ્યો હતો અને ૫૦ જણ હજી પણ ગુમ છે. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) બચાવ-કામગીરીમાં સક્રિયપણે સામેલ છે, જેમાં પીડિતોને શોધવા માટે કૅમેરા અને થર્મલ ઇમેજિંગ કૅમેરા સહિત અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2025 10:05 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK