બુધવારે સવારે બનેલી આ ઘટનામાં સ્પેશ્યલ સિક્યૉરિટી ફોર્સના શત્રુઘ્ન વિશ્વકર્માનો પોતાની જ બંદૂકની ગોળીએ જીવ લીધો
જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા
અયોધ્યાના રામમંદિરમાં ડ્યુટી પર હાજર એક જવાનનું બુધવારે સવારે સાડાપાંચ વાગ્યે ગોળી વાગવાને લીધે મૃત્યુ થયું હતું. મંદિર પરિસરમાં અચાનક જ ગોળીનો અવાજ આવતાં સાથી સુરક્ષા-કર્મચારીઓએ ત્યાં જઈને જોયું તો સ્પેશ્યલ સિક્યૉરિટી ફોર્સ (SSF)ના શત્રુઘ્ન વિશ્વકર્માને ગોળી વાગી હતી. તરત જ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. શત્રુઘ્ન વિશ્વકર્મા આ ઘટના બની એ પહેલાં મોબાઇલમાં કંઈક જોઈ રહ્યો હતો. તે થોડા દિવસથી પરેશાન હોવાનું તેના સાથીઓનું કહેવું છે.
શરૂઆતની તપાસ પરથી પોલીસ આ આત્મહત્યા છે કે અકસ્માત એ નિષ્કર્ષ પર નથી આવી શકી.
ADVERTISEMENT
પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ અને વધુ તપાસ કર્યા બાદ ગોળી કેવી રીતે ચાલી એ સ્પષ્ટ થઈ શકશે.
માર્ચ મહિનામાં પણ પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી (PAC)ના એક જવાન રામ પ્રસાદનું રહસ્યમય સંજોગોમાં બંદૂકની ગોળી લાગવાથી અયોધ્યાના રામમંદિરમાં મૃત્યુ થયું હતું.


