Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને ચીન સરહદેથી અઠવાડિયામાં બન્ને દેશની સેનાઓ પાછી હટી જશે

ભારત અને ચીન સરહદેથી અઠવાડિયામાં બન્ને દેશની સેનાઓ પાછી હટી જશે

Published : 26 October, 2024 08:00 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૮ કે ૨૯ ઑક્ટોબર સુધીમાં ભારતીય અને ચીની સેના સંપૂર્ણ રીતે પાછી ફરી જશે

ભારત-ચીન સરહદ વિસ્તાર

ભારત-ચીન સરહદ વિસ્તાર


ભારત અને ચીનની સરહદ પર આ મહિનાના અંત સુધીમાં બન્ને દેશની સેનાઓ સંપૂર્ણ રીતે પાછી હટી જશે અને એપ્રિલ-૨૦૨૦ પહેલાંની સ્થિતિ જેવી પરિસ્થિતિ બહાલ કરવામાં આવશે. પૂર્વી લદાખ સેક્ટરમાં ડેમચોક અને દેપસાંગ મેદાનોના બે સંઘર્ષના પૉઇન્ટ પરથી બન્ને દેશની સેનાના જવાનોની વાપસી શરૂ થઈ ગઈ છે. ૨૮ કે ૨૯ ઑક્ટોબર સુધીમાં ભારતીય અને ચીની સેના સંપૂર્ણ રીતે પાછી ફરી જશે. ગલવાનમાં સંઘર્ષ બાદ આ પૉઇન્ટ પર બન્ને દેશની સેનાઓ સામસામી આવી ગઈ હતી. ગલવાનમાં ભારતના વીસ સૈનિક શહીદ થયા હતા. આ સંઘર્ષ બાદ ભારતે સરહદ પર ૭૦,૦૦૦ જવાન, ૯૦ ટૅન્ક, સેંકડો કૉમ્બેટ વેહિકલો, સુખોઈ અને જૅગ્વાર ફાઇટર જેટ્સનો કાફલો ખડકી દીધો હતો. સેના પાછી હટાવી લેવાના મુદ્દે ગયા અઠવાડિયે કરાર થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 08:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK