Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં બિભવકુમારને મુંબઈ લાવવામાં આવ્યો

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં બિભવકુમારને મુંબઈ લાવવામાં આવ્યો

Published : 22 May, 2024 08:03 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિભવકુમારની ૧૮ મેએ ધરપકડ કરવામાં આવી હતી.

સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલ


દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરમાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના કેસના આરોપી બિભવકુમારને દિલ્હી પોલીસ ગઈ કાલે મુંબઈ લાવી હતી. કેજરીવાલના ભૂતપૂર્વ પર્સનલ સેક્રેટરીએ મુંબઈમાં તેનો ફોન ફૉર્મેટ કરાવતાં પોલીસ તેને એ ફોનનો ક્લોન બનાવવાના ઉદ્દેશથી મુંબઈ લાવી છે. આ તપાસ કરી રહેલા એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૩ મેએ સ્વાતિ માલીવાલ પર હુમલો થયો હતો અને બિભવકુમારે ૧૭ મેએ મુંબઈમાં તેનો ફોન ફૉર્મેટ કરાવ્યો હતો. ફોનમાં રહેલા ડેટાને મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફોન ક્લોન થતાં એમાં રહેલો ડેટા મેળવી શકાશે.’ બિભવકુમારની ૧૮ મેએ ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 08:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK