જેમની બેદરકારીથી આ મૃત્યુ થયા છે તેમની સામે પગલાં લેવાની ભલામણ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા સૂચનાત્મક પગલાં સૂચવવા પણ મંત્રીએ નિર્દેશ આપ્યો છે
તસવીર: પીટીઆઈ
Suspicious Death Of 14 People in Delhi Government Shelter Home: દેશની રાજધાની દિલ્હીના રોહિણીમાં દિલ્હી સરકારના શેલ્ટર હોમ `આશા કિરણ`માં રહેતા 14 માનસિક રીતે બીમાર લોકોના મોત પ્રકાશમાં આવ્યા છે. આ મામલાની માહિતી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ સરકારે સમગ્ર મામલાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે અને 48 કલાકમાં રિપોર્ટ માગ્યો છે.



