Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મસ્જિદ પરિસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાને ધ્યાને રાખી મથુરામાં વધારી સુરક્ષા

મસ્જિદ પરિસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાને ધ્યાને રાખી મથુરામાં વધારી સુરક્ષા

06 December, 2022 11:47 AM IST | Mathura
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક નેતાએ સોમવારે જિલ્લા વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જો તેમને 6 ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે તો તેઓ આત્મવિલોપન કરશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મથુરા (Mathura)અખિલ ભારત હિન્દુ મહાસભાએ 6 ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં સ્થિત શાહી ઇદગાહ ખાતે હનુમાન ચાલીસાના પાઠની જાહેરાત કર્યા બાદ મથુરા જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષા વધારી દીધી છે.

અખિલ ભારત હિંદુ મહાસભાના એક નેતાએ સોમવારે જિલ્લા વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જો તેમને 6 ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે તો તેઓ આત્મવિલોપન કરશે. તે જ સમયે વહીવટીતંત્રે દાવો કર્યો છે કે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.



પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે કહ્યું કે હિંદુ મહાસભા અને તેના સમર્થક સંગઠનોની ઈદગાહ પર હનુમાન ચાલીસાના પાઠની જાહેરાતને ધ્યાનમાં રાખીને શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમવારે પોલીસ દળે આ વિસ્તારમાં ફૂટ માર્ચ પણ કરી હતી.


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે કહ્યું કે બળપૂર્વક ધર્મપરિવર્તન બંધારણની વિરુદ્ધ

હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, "જો મને આવતીકાલે (મંગળવારે) નિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે અભિજીત મુહૂર્તમાં ઇદગાહમાં ભગવાનના જન્મસ્થળ પર હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ."


પ્રશાસનની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જો આપણે ભગવાન કૃષ્ણની તેમના જન્મસ્થળ પર પૂજા નહીં કરીએ તો ક્યાં કરીશું? આ જિલ્લા પ્રશાસને અમને જણાવવું જોઈએ.

શર્માએ એક નિવેદન જારી કરીને આરોપ લગાવ્યો હતો કે 6 ડિસેમ્બરે મહાસભા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ દેશ-વિદેશથી સનાતની ધર્મવલંબી મથુરા પહોંચી રહ્યા છે, જેમને એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર રોકવામાં આવી રહ્યા છે અને જેઓ કોઈક રીતે અહીં પહોંચ્યા છે, તેમને રહેવા દેવામાં આવી રહ્યા નથી. 

આ પણ વાંચો:શું છે મહાપરિનિર્વાણ દિવસ? ડૉ. આંબેડકરની પુણ્યતિથિ કેમ ઉજવાય છે આ રીતે?

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ વહીવટીતંત્રની દમનકારી નીતિ છે, અમારા ઘણા કાર્યકર્તાઓને નજરકેદ કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં પણ આવતીકાલે મોટી સંખ્યામાં મથુરામાં હાજર સેંકડો કાર્યકરો અને પદાધિકારીઓ પહોંચશે.

બીજી તરફ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સંસ્થાને જિલ્લાની સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પાંડેએ જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રતિબંધિત આદેશો પહેલેથી જ લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે કોઈ નવી પ્રવૃત્તિને મંજૂરી આપી શકાતી નથી, જેના સંબંધમાં સરકારે અગાઉ મંજૂરી આપી નથી.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 11:47 AM IST | Mathura | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK