Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘શૂર્પણખા’ કમેન્ટને લઈને રેણુકા ચૌધરી પીએમ વિરુદ્ધ કેસ કરશે

‘શૂર્પણખા’ કમેન્ટને લઈને રેણુકા ચૌધરી પીએમ વિરુદ્ધ કેસ કરશે

25 March, 2023 12:22 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીએમની એક ક્લિપને શૅર કરીને સવાલ કર્યો હતો કે ‘ચાલો જોઈએ હવે અદાલત કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.’ આ જૂની ક્લિપમાં પીએમ રાજ્યસભાના અધ્યક્ષને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મારી પ્રાર્થના છે કે રેણુકાજીને કંઈ પણ ન કરો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


ગુજરાતમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષ જેલની સજા કર્યા બાદ કૉન્ગ્રેસનાં નેતા રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૮માં સંસદમાં ‘શૂર્પણખા’ કમેન્ટ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરશે. તેમણે પીએમની એક ક્લિપને શૅર કરીને સવાલ કર્યો હતો કે ‘ચાલો જોઈએ હવે અદાલત કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.’ આ જૂની ક્લિપમાં પીએમ રાજ્યસભાના અધ્યક્ષને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મારી પ્રાર્થના છે કે રેણુકાજીને કંઈ પણ ન કરો. ‘રામાયણ’ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું આજે સૌભાગ્ય મળ્યું છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 12:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK