Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: આસારામની આજીવન કેદની સજા રાજસ્થાન હાઈ કોર્ટે યથાવત્ રાખી

ન્યૂઝ શોર્ટમાં: આસારામની આજીવન કેદની સજા રાજસ્થાન હાઈ કોર્ટે યથાવત્ રાખી

Published : 28 May, 2026 10:05 AM | Modified : 28 May, 2026 10:26 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે દોષી ઠેરવવા સામેની તેમની અપીલ ફગાવી દેતાં તેમને જોધપુર સેન્ટ્રલ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો

આસારામ બાપુ

આસારામ બાપુ


રાજસ્થાન હાઈ કોર્ટે ૨૦૧૩માં જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કાર કેસમાં આસારામને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. કોર્ટે દોષી ઠેરવવા સામેની તેમની અપીલ ફગાવી દેતાં તેમને જોધપુર સેન્ટ્રલ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે બે સહઆરોપી શિલ્પી અને શરત ચંદ્રને નિર્દોષ જાહેર કર્યાં હતાં, જેમાં તેમના પર સામૂહિક બળાત્કારના આરોપોને સમર્થન આપવા માટે પૂરતા સીધા પુરાવા નહોતા. જોકે બેન્ચે જાળવી રાખ્યું હતું કે સગીરના આસારામ સામેના આરોપો વિશ્વસનીય હતા અને બળાત્કારનો ગુનો સાબિત થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 10:26 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK