Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રશાંત કિશોરની જન સુરાજ અભિયાન ૨ ઑક્ટોબરથી રાજકીય પાર્ટી બનશે

પ્રશાંત કિશોરની જન સુરાજ અભિયાન ૨ ઑક્ટોબરથી રાજકીય પાર્ટી બનશે

Published : 30 July, 2024 08:30 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઊતરશે

પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર


ભૂતપૂર્વ ચૂંટણી-રણનીતિકાર પ્રશાંત કિશોરે ગઈ કાલે જણાવ્યું હતું કે તેમનું જન સુરાજ અભિયાન બીજી ઑક્ટોબરે ગાંધીજયંતીના દિવસથી રાજકીય પાર્ટી બનશે અને આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઊતરશે. તેમના આ અભિયાનમાં ભૂતપૂર્વ સમાજવાદી નેતા ભારતરત્ન કર્પૂરી ઠાકુરની પ્રપૌત્રી જાગૃતિ ઠાકુર, બે ભૂતપૂર્વ વિધાનસભ્યો મોનઝીર હસન અને રામબલી સિંહ ચંદ્રવંશી અને ભૂતપૂર્વ પોલીસ-અધિકારી આનંદ મિશ્રા જોડાયાં છે.


૨૦૧૪માં પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદીનું ચૂંટણીપ્રચાર અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ૨૦૧૫માં નીતીશકુમારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તેમની સેવા લીધી હતી અને સત્તા મેળવી હતી. પશ્ચિમ બંગાળમાં તેમણે મમતા બૅનરજીને  અને તામિલનાડુમાં એમ. સ્ટૅલિનને પણ ચૂંટણીમાં જીત મેળવવામાં મદદ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 08:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK