Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શિમલાથી લઈને સુરત સુધીનાં શહેરોના લોકોએ મતદાન માટે ઉદાસીનતા દાખવી

શિમલાથી લઈને સુરત સુધીનાં શહેરોના લોકોએ મતદાન માટે ઉદાસીનતા દાખવી

04 December, 2022 11:02 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું.’  

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી ઃ ચૂંટણી પંચે સોમવારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલાં મતદાતાઓને એક વિશેષ અપીલ કરી છે, જેમાં પહેલા તબક્કામાં શહેરી વિસ્તારોમાં મતદાનને લઈને જોવા મળેલી ઉદાસીનતાને દૂર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ગુજરાત ચૂંટણીના પહેલા તબક્કામાં સુરત, રાજકોટ અને જામનગરમાં રાજ્યના સરેરાશ ૬૩.૩ ટકાથી ઓછું મતદાન થયું છે. રાજ્યમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું.’  
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ‘અનેક મતવિસ્તારમાં વોટિંગની ટકાવારી વધી છે, પરંતુ સરેરાશ મતદાનનો આંકડો આ મહત્ત્વપૂર્ણ જિલ્લામાં શહેરી વિસ્તારોના લોકોની ઉદાસીનતાના કારણે ઘટી ગયો હતો. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ શિમલાના શહેરી મતવિસ્તારોમાં સૌથી ઓછું ૬૨.૫૩ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે રાજ્યમાં સરેરાશ મતદાન ૭૫.૬ ટકા છે. ગુજરાતનાં શહેરોએ ચૂંટણીમાં પહેલી ડિસેમ્બરે મતદાન દરમ્યાન જે પ્રકારની ઉદાસીનતા બતાવી છે એના લીધે જ મતદાનની ટકાવારી ઘટી ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK