Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન ૧૦ લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન ૧૦ લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

Published : 28 July, 2025 01:15 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીયોએ અમેરિકા, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, આઇસલૅન્ડ વગેરે સહિત લગભગ ૧૩૫ દેશોમાં સ્થળાંતર કરવા માટે નાગરિકતા છોડી દીધી હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન ૧૦,૪૦,૮૬૦ ભારતીયોએ વિદેશની નાગરિકતા મેળવવા માટે સ્વેચ્છાએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. ૨૦૨૪માં જ ૨,૦૬,૩૭૮ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. ભારતીયોએ અમેરિકા, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, આઇસલૅન્ડ વગેરે સહિત લગભગ ૧૩૫ દેશોમાં સ્થળાંતર કરવા માટે નાગરિકતા છોડી દીધી હતી.

શું ભારત સરકાર એ હકીકતથી વાકેફ છે કે ૨૦૧૯થી ભારતીય નાગરિકતા છોડી દેનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે એવા પ્રશ્નના જવાબમાં મૉન્સૂન સત્ર ૨૦૨૫માં વિદેશ મંત્રાલયે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.



૨૦૧૯માં ૧,૪૪,૦૧૭; ૨૦૨૦માં ૮૫,૨૫૬; ૨૦૨૧માં ૧,૬૩,૩૭૦; ૨૦૨૨માં ૨,૨૫,૬૨૦; ૨૦૨૩માં ૨,૧૬,૨૧૯ અને ૨૦૨૪માં ૨,૦૬,૩૭૮ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી હતી. ૨૦૨૨ બાદ નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા બે લાખથી વધારે જ રહી છે.


વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ શૅર કરાયેલા ડેટા અનુસાર ૨૦૧૧થી જૂન ૨૦૨૩ વચ્ચે ૧૦,૭૫,૦૦૦ ભારતીયોએ સ્વેચ્છાએ તેમના પાસપોર્ટનો ત્યાગ કર્યો હતો.

ભારતીયો ઍન્ટિગા અને બાર્બુડા, આઇસલૅન્ડ અને વૅટિકન જેવા દેશોમાં પણ સ્થાયી થઈ રહ્યા છે. ભારતમાં હાલમાં ડ્યુઅલ સિટિઝનશિપને મંજૂરી આપતી નીતિ નથી.


વિદેશ મંત્રાલયના આંકડા જણાવે છે કે મજૂરો, વ્યાવસાયિકો અને નિષ્ણાતો સહિત આશરે ૧.૩૦ કરોડ ભારતીય નાગરિકો હાલમાં વિદેશમાં રહે છે.

ભારતીય નાગરિકતા

છોડનારા નાગરિકો

વર્ષ

સંખ્યા

૨૦૧૯

,૪૪,૦૧૭

૨૦૨૦

૮૫,૨૫૬

૨૦૨૧

,૬૩,૩૭૦

૨૦૨૨

,૨૫,૬૨૦

૨૦૨૩

,૧૬,૨૧૯

૨૦૨૪

,૦૬,૩૭૮

દેશ છોડનારા કરોડપતિઓની સંખ્યા ઘટી રહી છે

હેન્લી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2025 મુજબ ૨૦૨૫માં ૩૫૦૦ ભારતીય કરોડપતિઓ વિદેશમાં સ્થાયી થવાની ધારણા છે. ૨૦૨૩માં ૫૧૦૦ ભારતીય કરોડપતિઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા હતા. ૨૦૨૪નો આ આંકડો ૪૩૦૦ આવવાની ધારણા છે. આમ વિદેશમાં સ્થાયી થવા માગતા ભારતીય કરોડપતિઓમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2025 01:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK