° °

આજનું ઇ-પેપર
Sunday, 26 March, 2023


મનીષ સિસોદિયાની ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે, લાવશે 100માંથી 100 માર્ક- કેજરીવાલ

19 March, 2023 06:38 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

"કેટલાક લોકોએ મારો વિરોધ કર્યો, હું તેમને કહેવા માગું છું કે તમારા પણ બાળકોને ભણાવશું. સ્કૂલનો વિરોધ કેમ? અહીં તો BJP-Congress-APP બધાના બાળકો ભણશે.

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયાની (Manish Sisodia) ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. તે 100માંથી 100 નંબર લઈ આવશે. સીએમ કેજરીવાલે દિલ્હીના રોહિણીમાં `સ્કૂલ ઑફ સ્પેશિયલાઈઝ્ડ એક્સીલેન્સ` હેઠળ સ્કૂલની નવી બિલ્ડિંગની શરૂઆતના અવસરે આ વાત કહી છે.

સ્કૂલનો વિરોધ કેમ- કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી પર હુમલો કરતા કહ્યું, "કેટલાક લોકોએ મારો વિરોધ કર્યો, હું તેમને કહેવા માગું છું કે તમારા પણ બાળકોને ભણાવશું. સ્કૂલનો વિરોધ કેમ? અહીં તો BJP-Congress-APP બધાના બાળકો ભણશે. હું પ્રિન્સિપાલ-ટીચર્સને કહું છું કે જ્યારે આ પોતાના બાળકોનું એડમિશન કરાવવા આવે તો તેમનું ફૂલોથી સ્વાગત કરજો." 

ખોટા કેસમાં સિસોદિયાનો ફસાવવામાં આવ્યા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું, "આજે અમારી સાથે મનીષજી નથી, થોડાંક દિવસ પહેલા કેટલાક બાળકો આવ્યા હતા અને કહ્યું કે સર મનીષજીની યાદ આવી રહી છે. કેટલાક ટીચર્સ પણ આવ્યા અને કહ્યું કે, તેમના પર ખોટા કેસ લગાડવામાં આવ્યા છે, ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે."

100માંથી 100 નંબર લઈને આવશે મનીષ સિસોદિયા
કેજરીવાલે આગળ કહ્યું કે મનીષજીએ તમારે માટે સંદેશ મેસેજ મોકલ્યો છે, કે `હું સ્વસ્થ છું, તમે તમારી સ્ટડી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.` સીએમએ કહ્યું કે તેમને ત્યાં અંદર બેસીને પણ તમારી ચિંતા છે. તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. તેમણે કહ્યું કે ભગવાન સત્ય પર ચાલનારા લોકોની પરીક્ષા લેતા રહે છે, મનીષ સિસોદિયાની પણ પરીક્ષા પણ લઈ રહી છે, તે 100માંથી 100 નંબર લઈને બહાર આવશે.

આ પણ વાંચો : લગ્નનાં સવાલ પર મલાઈકા અરોરાએ આપ્યો જવાબ, `અર્જુન કપૂર સાથે પ્રી-હનીમૂન...`

જણાવવાનું કે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આ સમયે તિહાડ જેલમાં બંધ છે. સિસોદિયાને સીબીઆઈએ દિલ્હીના કહેવાતી આબકારી નીતિ ગોટાળામાં 26 ફેબ્રુઆરીના લાંબી પૂછપરછ પછી ધરપકડ કરી હતી. ત્યાર બાદ ઈડીએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની પૂછપરછ પછી ધરપકડ કરી હતી.

19 March, 2023 06:38 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધીએ બદલ્યો પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો, જાણો કારણ અને શું કર્યા ફેરફાર

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો અપડેટ કર્યો છે. તેમણે પોતાને કૉંગ્રેસ સભ્ય ગણાવવાની સાથે `અયોગ્ય સાંસદ` પણ લખી દીધું છે.

26 March, 2023 06:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯૯મા એપિસોડમાં કરી આ મુદ્દાઓ પર ચર્ચા

આ વર્ષે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમનો આ ત્રીજો એપિસોડ છે. કાર્યક્રમના 99મા એપિસોડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નર્વસ નાઈન્ટીઝનો ઉલ્લેખ કર્યો હતો

26 March, 2023 01:12 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધી અયોગ્યતા મામલે, આજે દેશમાં દિવસ દરમિયાન કૉંગ્રેસનો `સત્યાગ્રહ`

પાર્ટી પ્રમાણે, રાહુલ ગાંધી પ્રત્યે એકતા બતાવીને આ `સંકલ્પ સત્યાગ્રહ` બધા રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે થઈ રહ્યો છે. આ સવારે 10 વાગ્યે શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

26 March, 2023 12:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK