લીનાએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાયરને ઍસ્ટ્રોનૉટ વિંગ એનાયત કરવામાં આવી રહી હતી એ ગૌરવની ઐતિહાસિક ક્ષણ હતી.
પ્રશાંત બાલક્રિષ્નન નાયર , લીના
તિરુવનંતપુરમ : ગગનયાન મિશન માટે તાલીમ લેનારા ચાર ઍસ્ટ્રોનૉટ પૈકી એક ઍર ફોર્સના ફાઇટર પાઇલટ પ્રશાંત બાલક્રિષ્નન નાયરનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું ત્યાર બાદ મલયાલી ઍક્ટર લીનાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેણે ભારતીય હવાઈ દળના ફાઇટર પાઇલટ પ્રશાંત બાલક્રિષ્નન નાયર સાથે લગ્ન કર્યાં છે. ફિલ્મ ‘સ્નેહમ’ની અભિનેત્રીએ ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથ સાથે પતિ નાયર અને પોતાનો ફોટો શૅર કર્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં લીનાએ જણાવ્યું હતું કે ‘દરેકેદરેક જણને જાણ થાય એ માટે મહત્ત્વની જાહેરાતની હું રાહ જોઈ રહી હતી. નાયર સાથે ૧૭ જાન્યુઆરીએ મેં અરેન્જ્ડ મૅરેજ કર્યાં હતાં.’ લીનાએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાયરને ઍસ્ટ્રોનૉટ વિંગ એનાયત કરવામાં આવી રહી હતી એ ગૌરવની ઐતિહાસિક ક્ષણ હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)