પુત્રી સુપ્રિયા સુળે માટે બારામતીમાં આયોજિત પ્રચારસભામાં ગળું બેસી ગયું હતું એટલે શરદ પવાર ચારથી પાંચ મિનિટ બોલી શક્યા હતા.
શરદ પવારની તસવીર
મંગળવારે બારામતીમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે શરદ પવારની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે તેમણે આગામી દરેક કાર્યક્રમ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. બારામતી બેઠકમાં પ્રચારના ગઈ કાલે છેલ્લા દિવસે પ્રચારની પડઘમ શાંત થઈ ત્યાર બાદ શરદ પવારને અચાનક અશક્તિ લાગતાં તેઓ મોડી સાંજે તેમના બારામતીના ઘરે ગયા હતા. તેમને આરામની જરૂર હોવાનું જણાતાં આજની પુણેની જાહેર સભા સહિતના બધા કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પુત્રી સુપ્રિયા સુળે માટે બારામતીમાં આયોજિત પ્રચારસભામાં ગળું બેસી ગયું હતું એટલે શરદ પવાર ચારથી પાંચ મિનિટ બોલી શક્યા હતા.