Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરી પંડિત નર્સના રેપ-મર્ડરનો કેસ ૩૫ વર્ષ પછી ફરી ખૂલ્યો, યાસિન મલિકના ઘર સહિત ૮ સ્થળે દરોડા

કાશ્મીરી પંડિત નર્સના રેપ-મર્ડરનો કેસ ૩૫ વર્ષ પછી ફરી ખૂલ્યો, યાસિન મલિકના ઘર સહિત ૮ સ્થળે દરોડા

Published : 13 August, 2025 07:46 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલિક હાલમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યો છે. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં યાસિન મલિકના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


જમ્મુ અને કાશ્મીર પોલીસે કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટની હત્યાની તપાસ ૩૫ વર્ષ પછી ફરીથી ખોલી છે. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ પુરાવા એકઠા કરવા માટે પ્રતિબંધિત જમ્મુ ઍન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંકળાયેલી વ્યક્તિઓ પર અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં JKLFના ભૂતપૂર્વ વડા યાસિન મલિકનો પણ સમાવેશ થાય છે. મલિક હાલમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યો છે. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં યાસિન મલિકના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.

શ્રીનગરના સૌરા વિસ્તારમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની ૧૭ વર્ષની નર્સ સરલા ભટ એપ્રિલ ૧૯૯૦માં તેની હૉસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ હતી. ઘણા દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પર ઘણા દિવસો સુધી ગૅન્ગરેપ કરવામાં આવ્યો હતો. તેના મૃતદેહ પર ગોળીના ઘા અને ત્રાસ સહિત ક્રૂર હિંસાનાં ચિહનો જોવા મળ્યાં હતાં. JKLF સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા સરલા ભટની સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવાના ફરમાનનો વિરોધ કરવા બદલ હત્યા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2025 07:46 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK