Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પત્નીના ટુકડા કરીને કૂતરાંને ખાવા માટે ફેંક્યા

પત્નીના ટુકડા કરીને કૂતરાંને ખાવા માટે ફેંક્યા

19 December, 2022 11:40 AM IST | Ranchi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝારખંડમાં પતિએ ઝઘડા બાદ પત્નીની હત્યા કરી તેના મૃતદેહના અનેક ટુકડા કર્યા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


રાંચી : પૉઝિટિવ કરતાં નેગેટિવ ઉપાયો વધુ ઝડપથી ફેલાય છે એ શ્રદ્ધા વાલકર મર્ડરકેસ બાદ એના જેવા જ બહાર આવેલા હત્યાઓના અનેક કેસથી પુરવાર થાય છે. આ તમામ કેસમાં પીડિતની હત્યા કરીને એના ટુકડા કરીને ફેંકવામાં આવ્યા છે. હવે ગઈ કાલે આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો હતો, જેમાં ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં પત્નીની હત્યા કરીને તેના અનેક ટુકડા કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પત્નીના મૃતદેહના ટુકડા કરીને કૂતરાંને ખાવા માટે ફેંક્યા હતા. સાહિબગંજ જિલ્લાના બોરિયો બ્લૉક પાસે કૂતરા માનવઅંગ ખાતા હોવાનું કેટલાક લોકોએ જોતાં આ મામલો બહાર આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાના મૃતદેહના ટુકડા રિકવર કર્યા હતા. ૨૨ વર્ષની રુબિકા પહાદિન તરીકે મરનારની ઓળખ થઈ છે. પોલીસ-તપાસમાં એક પછી એક કડી મળી અને બહાર આવ્યું કે પતિ દિલદાર અન્સારીએ જ રુબિકાની હત્યા કરી તેના મૃતદેહના અનેક ટુકડા કર્યા હતા. સૌથી પહેલાં આ ટુકડાને તેણે પોતાના ઘરમાં કોથળામાં ભરી રાખ્યા હતા. 

સાહિબગંજના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે ‘૨૨ વર્ષની યુવતીના ૧૮ ટુકડા સાહિબગંજમાં મળ્યા છે. રુબિકા દિલદારની બીજી પત્ની હતી.’



આ કપલનાં લવ-મૅરેજ હતાં. તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. તાજેતરમાં બન્ને વચ્ચે ઝઘડા વધી ગયાં એ પછી આરોપીએ પત્નીની હત્યા કરી હતી.


શ્રદ્ધા વાલકર મર્ડરકેસ બાદ એના જેવા જ બહાર આવેલા કેસ

૧.  જયપુરમાં અનુજ શર્માએ તેની કાકીની હથોડાનો ઘા મારીને હત્યા કરી અને એ પછી છરા અને માર્બલ કટરનો ઉપયોગ કરીને મૃતદેહના ટુકડા કર્યા હતા.


૨.  કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં વિઠ્ઠલ નામના ૨૦ વર્ષના એક યુવકે તેના પિતા પરશુરામની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરી બોરવેલમાં ફેંકી આવ્યો, કેમ કે પરશુરામ દારૂ પીને વિઠ્ઠલની મારઝૂડ કરતો હતો.

૩. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પંકજ મૌર્ય નામના પુરુષે તેની પત્ની જ્યોતિ ઉર્ફે સ્નેહાની હત્યા કરીને તેની ઓળખ છુપાવવા માટે તેના મૃતદેહના અનેક ટુકડા કર્યા હતા. પંકજને સ્નેહાના લગ્નેતર સંબંધોની શંકા હતી.

૪.  દિલ્હીના ટિળકનગર એરિયામાં મનપ્રીત નામના એક પુરુષે તેની ૩૫ વર્ષની લિવ-ઇન પાર્ટનર રેખા રાનીની હત્યા કરી હતી. મનપ્રીતે રેખાના મૃતદેહને કાપીને એના ટુકડા કરવાની કોશિશ કરી હતી, પણ રેખાની દીકરી જાગી જશે એવા ડરથી તેણે એમ નહોતું કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 11:40 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK