° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


શું અલ્લાહ બહેરો છે? કર્ણાટકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમનું વિવાદાસ્પદ બયાન

14 March, 2023 10:38 AM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના આ નિવેદનથી ફરી એક વાર અઝાન પરની ચર્ચા શરૂ થઈ શકે છે.

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પા

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પા

બૅન્ગલોર : કર્ણાટક બીજેપીના એક મોટા નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પાએ ફરી એક વાર વિવાદાસ્પદ બયાનબાજી કરી છે. આ વખતે તેમણે અઝાન પર ટિપ્પણી કરી અલ્લાહ પર બયાન આપતાં કહ્યું છે કે શું અલ્લાહ બહેરો છે કે તેને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર પડે? તેમના આ નિવેદનથી ફરી એક વાર અઝાન પરની ચર્ચા શરૂ થઈ શકે છે.

કે. એસ. ઈશ્વરપ્પા એક જનસભાને સંબોધન કરી રહ્યા હતા એ વખતે નજીકની એક મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાતાં તેમણે કહ્યું હતું કે હું જ્યાં પણ જાઉં છું મને આ અવાજથી તકલીફ થાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાની તૈયારી છે. આજે નહીં તો કાલે અઝાન બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો: કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવામાં અને હું રસ્તાઓ બનાવવામાં બિઝીઃ પીએમ

તેમણે સભાને સંબોધિત કરતાં પ્રશ્ન કર્યો હતો કે અઝાન વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાથી જ અલ્લાહ સાંભળશે? મંદિરોમાં મહિલાઓ આરતી કે પ્રાર્થના કરતી હોય છે. અમે પણ ધાર્મિક છીએ, પણ અમે લાઉડસ્પીકરનો ઉપયોગ નથી કરતા. જો તમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને જ નમાજ અદા કરો છો તો એનો અર્થ છે કે અલ્લાહ બહેરો છે. 

કર્ણાટકમાં નાયબ મુખ્ય પ્રધાનપદે રહેલા ઈશ્વરપ્પાનો વિવાદોથી ઘણો જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં તેઓએ ૧૮મી સદીમાં મૈસૂરના શાસક ટીપુ સુલતાનને ‘મુસ્લિમ ગુંડા’ કહ્યા હતા. 

14 March, 2023 10:38 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Rahul Gandhi: માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર

લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.

24 March, 2023 04:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે.

24 March, 2023 11:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો

આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે.

24 March, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK