Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું અલ્લાહ બહેરો છે? કર્ણાટકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમનું વિવાદાસ્પદ બયાન

શું અલ્લાહ બહેરો છે? કર્ણાટકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમનું વિવાદાસ્પદ બયાન

14 March, 2023 10:38 AM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના આ નિવેદનથી ફરી એક વાર અઝાન પરની ચર્ચા શરૂ થઈ શકે છે.

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પા

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પા


બૅન્ગલોર : કર્ણાટક બીજેપીના એક મોટા નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પાએ ફરી એક વાર વિવાદાસ્પદ બયાનબાજી કરી છે. આ વખતે તેમણે અઝાન પર ટિપ્પણી કરી અલ્લાહ પર બયાન આપતાં કહ્યું છે કે શું અલ્લાહ બહેરો છે કે તેને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર પડે? તેમના આ નિવેદનથી ફરી એક વાર અઝાન પરની ચર્ચા શરૂ થઈ શકે છે.

કે. એસ. ઈશ્વરપ્પા એક જનસભાને સંબોધન કરી રહ્યા હતા એ વખતે નજીકની એક મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાતાં તેમણે કહ્યું હતું કે હું જ્યાં પણ જાઉં છું મને આ અવાજથી તકલીફ થાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાની તૈયારી છે. આજે નહીં તો કાલે અઝાન બંધ કરવામાં આવશે.



આ પણ વાંચો: કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવામાં અને હું રસ્તાઓ બનાવવામાં બિઝીઃ પીએમ


તેમણે સભાને સંબોધિત કરતાં પ્રશ્ન કર્યો હતો કે અઝાન વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાથી જ અલ્લાહ સાંભળશે? મંદિરોમાં મહિલાઓ આરતી કે પ્રાર્થના કરતી હોય છે. અમે પણ ધાર્મિક છીએ, પણ અમે લાઉડસ્પીકરનો ઉપયોગ નથી કરતા. જો તમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને જ નમાજ અદા કરો છો તો એનો અર્થ છે કે અલ્લાહ બહેરો છે. 

કર્ણાટકમાં નાયબ મુખ્ય પ્રધાનપદે રહેલા ઈશ્વરપ્પાનો વિવાદોથી ઘણો જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં તેઓએ ૧૮મી સદીમાં મૈસૂરના શાસક ટીપુ સુલતાનને ‘મુસ્લિમ ગુંડા’ કહ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 10:38 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK