Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અગ્નિવીર ચાર વર્ષના કાર્યકાળમાં લગ્ન કરશે તો સ્થાયી સૈનિક નહીં જ બની શકે

અગ્નિવીર ચાર વર્ષના કાર્યકાળમાં લગ્ન કરશે તો સ્થાયી સૈનિક નહીં જ બની શકે

Published : 06 January, 2026 04:39 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં ભરતી થયેલા લાખો યુવાનોના મનમાં સપનું હોય છે કે ૪ વર્ષની સેવા પછી ભારતીય સેનામાં સ્થાયી સૈનિક બનવું. જોકે ભારતીય સેનાએ અગ્નિવીરોના સ્થાયીકરણની પ્રક્રિયા માટે એક નવો અને મહત્ત્વનો નિયમ બનાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં ભરતી થયેલા લાખો યુવાનોના મનમાં સપનું હોય છે કે ૪ વર્ષની સેવા પછી ભારતીય સેનામાં સ્થાયી સૈનિક બનવું. જોકે ભારતીય સેનાએ અગ્નિવીરોના સ્થાયીકરણની પ્રક્રિયા માટે એક નવો અને મહત્ત્વનો નિયમ બનાવ્યો છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાયી સૈનિક બનવાની પ્રક્રિયા દરમ્યાન અગ્નિવીરોએ અવિવાહિત રહેવું અનિવાર્ય છે. ૪ વર્ષના અગ્નિવીર તરીકેના કાર્યકાળ દરમ્યાન જો કોઈ અગ્નિવીર લગ્ન કરે છે તો તે સ્થાયી સૈનિક બનવા માટે અયોગ્ય ગણાશે. આવા અગ્નિવીરો સ્થાયી સૈનિક બનવા માટેની અરજી કરવા માટે પણ પાત્ર નહીં ઠરે અને ચયનપ્રક્રિયાનો હિસ્સો પણ નહીં બની શકે.

નવા નિયમ અનુસાર અગ્નિવીરો ત્યારે જ લગ્ન કરી શકશે જ્યારે તેઓ ભારતીય સેનામાં સ્થાયી સૈનિક તરીકે નિયુક્ત થઈ જાય. નિયુક્તિનું અંતિમ પરિણામ ન આવી જાય ત્યાં સુધી અવિવાહિત રહેવું પડશે. અલબત્ત, એમાં બહુ લાંબી રાહ જોવાની નથી. ૪ વર્ષના કાર્યકાળ પછી ચારથી ૬ મહિનાના સમયમાં સ્થાયીકરણની પ્રક્રિયા પૂરી થઈ જાય એ પછી અગ્નિવીરો લગ્ન કરી શકશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 04:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK