Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > India-Pakistan Ceasefire: આજે યુદ્ધવિરામની તારીખ પૂરી થાય છે? જાણો શું છે હકીકત!

India-Pakistan Ceasefire: આજે યુદ્ધવિરામની તારીખ પૂરી થાય છે? જાણો શું છે હકીકત!

Published : 18 May, 2025 10:49 AM | Modified : 19 May, 2025 06:48 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India-Pakistan Ceasefire: ભારતીય સેનાના નિવેદન બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ચાલુ જ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ બાદ યુદ્ધવિરામ પર સમજૂતી કરવામાં (India-Pakistan Ceasefire) આવી હતી. જો કે આ બને દેશો વચ્ચે જે યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી તે આજે પૂર્ણ થઈ જવાની છે કે કેમ એ મુદ્દે ઘણા લોકો મૂંઝવણમાં છે. પણ હવે ભરતીય જવાનો દ્વારા એક નિવેદન સામે આવ્યું છે. જેમાં સેનાએ સ્પષ્ટરીતે જણાવી દીધું છે કે આજે ડાયરેક્ટરલ જનરલ ઓફ મિલીટરી ઓપરેશન્સ (DGMO)ના સ્તરની કોઈ જ વાત થવાની નથી. આ સાથે જ સેનાએ કહ્યું કે કેટલાક મીડિયામાં એવા અહેવાલો આપવામાં આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ આજે સમાપ્ત થઈ રહ્યો છે. જો કે આ પ્રકારના ખબર જાણીને ઘણા લોકોમાં મૂંઝવણમાં મુકાયા છે. અને લોકોની આ જ મૂંઝવણ દૂર કરવા માટે ભારતીય સેનાએ આ અટકળો પર ચોકડી મુકતું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.


એક અધિકારીએ આ વાત કરતાં જણાવ્યું હતું કે - જ્યાં સુધી ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)ની વાટાઘાટો દરમિયાન નક્કી કરાયેલા યુદ્ધવિરામના અંતનો સંબંધ (India-Pakistan Ceasefire) છે, તેની કોઈ સમાપ્તિ તારીખ નથી.` આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે રવિવારે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે કોઈ વાતચીતનું આયોજન કરવામાં આવેલ નથી.



ભારતીય સેનાએ એમ્ પણ જણાવ્યું છે કે ગઈ 12મી મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે યુદ્ધવિરામ કરાર (India-Pakistan Ceasefire) થયો હતો. જો કે આ સમયે કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નહોતી. એટલે કે આ યુદ્ધવિરામ ક્યાં સુધી કરવામાં આવી રહ્યો છે એવી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નહોતી. એનો અર્થ એ થયો કે આ યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે.


છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મીડિયામાં એવા સમાચાર ફેલાવવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ કરાર આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. અને આજે બંને દેશના ડીજીએમઓ સ્તરની વાતચીત પણ થવાની છે એવી પણ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી છે. 

પરંતુ હવે ભારતીય સેનાના નિવેદન બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ (India-Pakistan Ceasefire) ચાલુ જ રહેશે અને તેને સમાપ્ત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.


શું હોય છે સીઝફાયર અથવા તો યુદ્ધવિરામ?

હાલમાં જ ભારત અને પાકિસ્તાન બંને દેશ યુદ્ધવિરામ પર સંમત થયા છે. ખરેખર, આ એક એવો શબ્દ છે જેમાં શાંતિ સમાયેલી છે. આનો અર્થ થાય છે યુદ્ધ અથવા સંઘર્ષનો અંત. આ એક પ્રકારનું સમાધાન છે. યુદ્ધવિરામ એ એક લશ્કરી કરાર છે જેનો મુખ્ય હેતુ સમગ્ર યુદ્ધ ક્ષેત્રમાં દુશ્મનાવટ બંધ કરવાનો અને ચોક્કસ સમયગાળા માટે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2025 06:48 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK