Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતનો જવાબ : પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતો એક બેજવાબદાર દેશ છે

ભારતનો જવાબ : પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતો એક બેજવાબદાર દેશ છે

Published : 12 August, 2025 12:17 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે પરમાણુ બ્લેકમેલથી ડરવાના નથી. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેતાં રાખીશું.

રણધીર જયસ્વાલ

રણધીર જયસ્વાલ


પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે અમેરિકામાં એક કાર્યક્રમમાં આપેલી પરમાણુ ધમકી પર ભારતે ગઈ કાલે એક નિવેદન બહાર પાડ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ કમેન્ટ્સ ત્રીજા મિત્ર દેશની ધરતી પરથી કરવામાં આવી તે દુઃખદ બાબત છે. પરમાણુ હથિયારોની વાત કરવી એ પાકિસ્તાનની જૂની આદત છે. પાકિસ્તાનની સરકાર અને આતંકવાદી સંગઠનોની આંતરિક સાંઠગાંઠ છે. પાકિસ્તાન પરમાણુ હથિયારો ધરાવતો એક બેજવાબદાર દેશ છે. મુનીરનું નિવેદન એક પેટર્નનો ભાગ છે, જ્યારે પણ અમેરિકા પાકિસ્તાની સૈન્યને ટેકો આપે છે, ત્યારે તેઓ હંમેશા પોતાનો સાચો રંગ બતાવે છે. આ દર્શાવે છે કે પાકિસ્તાનમાં લોકશાહી અસ્તિત્વમાં નથી. આ પ્રકારની ટિપ્પણીઓમાં રહેલી બેજવાબદારી પર આંતરરાષ્ટ્રીય સમુદાય પોતાના નિષ્કર્ષ કાઢી શકે છે. જ્યાં સૈન્ય આતંકવાદી જૂથો સાથે હાથ મિલાવી કામ કરતું હોય એવા દેશમાં પરમાણું હથિયારો વિશે પણ વિચારવું જોઈએ. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે પરમાણુ બ્લેકમેલથી ડરવાના નથી. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેતાં રાખીશું.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2025 12:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK