૧ જૂને વર્ષાઋતુના કેરલામાં પ્રવેશ પછી ૧૦થી ૧૫ દિવસોના ગાળામાં ભારતમાં ચોમાસાનો સત્તાવાર આરંભ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ૧ જૂને કેરલામાં નૈઋત્ય ચોમાસાના પ્રવેશ અને મોસમ દરમ્યાન પૂર્વ નિર્ધારિત સરેરાશના ૯૮ ટકા વરસાદની આગાહી હવામાનશાસ્ત્રીઓએ કરી હોવાનું ભૂમિ વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું. ૧ જૂને વર્ષાઋતુના કેરલામાં પ્રવેશ પછી ૧૦થી ૧૫ દિવસોના ગાળામાં ભારતમાં ચોમાસાનો સત્તાવાર આરંભ થાય છે.