સક્રિય રાજકારણમાં ભાગ લેવાની તેમની કોઈ ઇચ્છા નથી પરંતુ પક્ષને આગળ વધારવામાં અને સત્તા ટકાવવામાં સતત પ્રયત્નશીલ રહેશે.
બૅન્ગલોરમાં ગઈ કાલે કર્ણાટકના મુખ્ય પ્રધાનપદેથી ધાર્યા મુજબ રાજીનામું આપ્યા પછી ભાવુક થઈ ગયેલા બી. એસ. યેદિયુરપ્પા. પી.ટી.આઇ.
ADVERTISEMENT
મતદારક્ષેત્રમાં લોકોએ વિરોધમાં બંધ પાળ્યો
યેદિયુરપ્પાએ ગઈ કાલે મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું એને પગલે શિકારીપુરા નામના તેમના મતવિસ્તારમાં લોકોએ તેમના આ નિર્ણય સામેના વિરોધમાં દુકાનો અને બીજા એકમો બંધ રાખ્યાં હતાં.
મારા પિતાએ રવિવારે રાત્રે સૂતા પહેલાં જ નિર્ણય લઈ લીધેલો : યેદિયુરપ્પાની પુત્રી અરુણાદેવી
વિદાય લઈ રહેલા કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાની મોટી પુત્રી એસ. વાય. અરુણાદેવીએ આઇ.એ.એન.એસ.ને મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને મારા પિતાના રાજીનામાના નિર્ણયથી આશ્ચર્ય થયું છે. જોકે, તેમણે હોદ્દો છોડવાનો મહત્ત્વનો નિર્ણય કદાચ રવિવારે રાત્રે સૂતા પહેલાં જ લઈ લીધો હતો. મારા પિતા એવા છે જેઓ એક વાર કોઈ નિર્ણય લે એને પછી વળગી રહે છે. સોમવારે મુખ્ય પ્રધાનપદ પર બે વર્ષ પૂરાં કર્યાં એ અવસરે તેઓ શું નિર્ણય જાહેર કરશે એની તેમણે અમને કોઈને જાણ નહોતી કરી.’