Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માસીના દીકરાને લગ્નમાં આમંત્રણ ન આપ્યું એટલે વરરાજા પર ગોળીબાર

માસીના દીકરાને લગ્નમાં આમંત્રણ ન આપ્યું એટલે વરરાજા પર ગોળીબાર

12 May, 2024 09:53 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોળીબારમાં ઘાયલ વરરાજાને હાલમાં હૉસ્પિટલમાં ઉપચાર આપવામાં આવી રહ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લગ્નમાં માસીના દીકરાને આમંત્રણ નહીં આપવાને કારણે એક વરરાજા પર માસીના દીકરાએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના રામપુરમાં બની હતી. ગોળીબારમાં ઘાયલ વરરાજાને હાલમાં હૉસ્પિટલમાં ઉપચાર આપવામાં આવી રહ્યો છે અને તેની તબિયત સારી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધ ચલાવી છે.


રામપુર સિવિલ લાઇન્સ પોલીસના જણાવવા મુજબ આ ક્ષેત્રમાં આવેલા પંબડિયા ગામમાં શુક્રવારે જાન આવી હતી. આ ગામના નિવાસી હરદયાલની દીકરીનાં લગ્ન ઉત્તરાખંડના ઉધમ સિંહના રહેવાસી કરણ ઓમપ્રકાશ સાથે નક્કી થયાં હતાં. લગ્નમાં કરણે તેની મુરાદાબાદમાં રહેતી માસીના દીકરા અજયને આમંત્રણ આપ્યું નહોતું એટલે તે રોષે ભરાયો હતો. જ્યારે કરણ પરણવા માટે તૈયાર થઈને બગીમાં બેઠો ત્યારે અજયે તેના પર ગોળી ચલાવી હતી અને હવામાં તમંચો બતાવીને ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. વરરાજા કરણને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની તબિયત સારી છે. એકથી દોઢ વર્ષ પહેલાં કરણ અને અજય વચ્ચે ઝઘડો થયો હતો અને એનો રોષ રાખીને અજય બારાતમાં અચાનક આવી ચડ્યો હતો અને કરણ પર ગોળીઓ છોડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 09:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK