Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ

છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ

23 March, 2023 04:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Google પેરેન્ટ અલ્ફાબેટ ઈન્કના લગભગ 1400 કર્મચારીઓને છટણી પ્રોસેસ દરમિયાન કર્મચારીઓને બહેતર ટ્રીટમેન્ટ માટે Googleના સીઈઓને એક લેટર લખી કરી આ માગ રજૂ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Google પેરેન્ટ અલ્ફાબેટ ઈન્કના લગભગ 1400 કર્મચારીઓએ છંટણી પ્રોસેસ દરમિયાન કર્મચારીઓને બહેતર ટ્રીટમેન્ટ માટે એક પિટિશન પર સાઈન કરી છે. કર્મચારીઓએ કંપની દ્વારા 12,000 નોકરીઓમાં કાપના જાહેરાત બાદ ચીફ એગ્ઝિક્યૂટિવ સુંદર પિચાઈને એક ઓપન લેટર લખ્યો છે. આ લેટરમાં કર્મચારીઓએ પોતાની અનેક માગ રજૂ કરી છે. આમાં પહેલી માગ એ છે કે છંટણી પ્રોસેસ સુધી નવી ભરતીઓ પર સ્ટે મૂકવામાં આવે. આ સિવાય કોઈને પણ નોકરીમાંથી કાઢતા પહેલા આ નોકરી પર કામ કરવાનો ટાઈમ પીરિયડ ઘટાડતા પહેલા તેમને એકવાર પૂછવામાં આવે. કર્મચારીઓએ લેટરમાં કહ્યું કે જે લોકોને ભરતીના સમયે નોકરી પરથી કાઢવામાં આવ્યા છે તેમને પ્રાયોરિટી આપવામાં આવે, નોકરીનો શેડ્યૂલ્ડ પીરિયડ ખતમ કરી દેવામાં આવે, આ સિવાય માતા-પિતાના નિધનના સમયે શોક પીરિયડમાં રજા લેવાની આઝાદી આપવામાં આવે અને આ દરમિયાન સેલરી પણ આપવામાં આવે.

કર્મચારીઓની સંખ્યામાં લગભગ 6 ટકા કાપ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અલ્ફાબેટના પોતાના વર્કફોર્સને ઘટાડવાના નિર્ણયનો પ્રભાવ વૈશ્વિક છે. આ સિવાય ક્યાંય પણ કર્મચારીઓના અવાજ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો નથી. પેન્ડેમિક બાદ મંદીમાં ખર્ચ ઘટાડવા માટે ઈન્વેસ્ટર્સના દબાણ બાદ કંપનીએ પોતાના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 6 ટકાનો કાપ કરશે. મેટા પ્લેટફૉર્મ્સ ઈન્ક, Amazon.com ઇન્ક અને માઈક્રોસૉફ્ટ તે ટેક દિગ્ગજોમાંની એક છે જેમણે ગ્રોથ અને હાયરિંગના વર્ષો બાદ તાજેતરના મહિનામાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે. 



આ પણ વાંચો : દિલ્હીમાં હવે કેજરીવાલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ન કરવામાં આવે ધરપકડ- CM


ગૂગલ પર મોટા પાયે છટણી
નોંધનીય છે કે ગૂગલ સારા વર્ક કલ્ચર, સેલરી પેકેજ, કર્મચારીઓની બહેતર કૅરટૅક અને અન્ય સુવિધાઓ આપવા માટે જાણીતું છે. હાલ ગૂગલ પર કર્મચારીઓની છંટણી મોટા લેવલ પર થઈ છે. જાન્યુઆરી મહિનામાં જ આલ્ફાબેટે 6 ટકા કર્મચારીઓની છંટણી કરવાની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK