Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિરના લાઈવ દર્શન નામે છેતરપિંડી: વોટ્સએપ પર આ લિંક આવે તો થઈ જાઓ સાવધાન, એકાઉન્ટ થઈ જશે ખાલી

રામ મંદિરના લાઈવ દર્શન નામે છેતરપિંડી: વોટ્સએપ પર આ લિંક આવે તો થઈ જાઓ સાવધાન, એકાઉન્ટ થઈ જશે ખાલી

21 January, 2024 09:23 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે જો તમારા મોબાઈલ પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઈવ સ્ટ્રીમિંગ લિંક આવી રહી છે તો સાવધાન થઈ જાઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. લોકોની આ શ્રદ્ધાનો લાભ સાયબર ગઠિયાઓ લઈ રહ્યા છે
  2. જો તમારા મોબાઈલ પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઈવ સ્ટ્રીમિંગ લિંક આવે તો ચેતજો
  3. અયોધ્યામાં ગૃહ મંત્રાલયના સાયબર વિંગના કંટ્રોલ રૂમને આવી ઘણી નકલી લિંક્સ વિશે જાણવા મળ્યું

Fraud on the Pretext of Ram Mandir Pran Pratishtha Live Streaming: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અયોધ્યામાં રામ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે. નવા બનેલા મંદિરમાં પોતાના રામ લલ્લા (Ram Mandir Pran Pratishtha)ને બેઠેલા જોવા માટે લોકો ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં જે લોકો અયોધ્યા જઈ શકતા નથી અને ઘરે બેસીને તેમના ફોન અને ટીવી પર અયોધ્યામાં થઈ રહેલા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમને જોવા માગે છે. હવે લોકોની આ શ્રદ્ધાનો લાભ સાયબર ગઠિયાઓ લઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી (Pran Pratishtha Live Streaming Fraud) જાહેર કરીને કહ્યું છે કે જો તમારા મોબાઈલ પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઈવ સ્ટ્રીમિંગ લિંક આવી રહી છે તો સાવધાન થઈ જાઓ. સાયબર ગુનેગારો તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે. આવી કોઈ લિંક ખોલશો નહીં. ગૃહ મંત્રાલયની સાયબર વિંગે આ અંગે ઍલર્ટ જાહેર કર્યું છે.



લાઇવ સ્ટ્રીમિંગ લિંક દ્વારા છેતરપિંડી


જો સૂત્રોનું માનીએ તો અયોધ્યામાં ગૃહ મંત્રાલયના સાયબર વિંગના કંટ્રોલ રૂમને આવી ઘણી નકલી લિંક્સ વિશે જાણવા મળ્યું છે, જ્યાં સાયબર ગુનેગારો વોટ્સએપ પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઇવ સ્ટ્રીમિંગ લિંક્સ મોકલી રહ્યા છે. આ લિંક ખોલતાની સાથે જ મોબાઈલમાંથી ડેટા ચોરાઇ જાય છે અથવા તો બેન્ક ખાતું ખાલી થઈ જાય છે.

અહીં ફરિયાદ કરો


એક પોલીસ અધિકારીએ ચેતવણી આપી કે ભાગ્યે જ કોઈ ધાર્મિક સંસ્થા અથવા અન્ય સંસ્થા છે જે આ રીતે પ્રસાદનું વિતરણ કરતી હોય. જો કોઈને આવા સંદેશા મળે છે, તો કૃપા કરીને તેને અવગણો અને કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. પોલીસે લોકોને નેશનલ સાયબર હેલ્પલાઈન (1930) અથવા વેબસાઈટ cybercrime.gov.in દ્વારા આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે.

ઑનલાઈન પ્રસાદના નામે પણ છેતરપિંડી

તે જ સમયે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહમાં મહેમાનોને `રામરાજ` ​​અને લાડુ પ્રસાદની ભેટ આપવામાં આવશે. `રામરાજ`માં મંદિરના શિલાન્યાસ દરમિયાન કાઢવામાં આવેલી માટીનો સમાવેશ થાય છે. જોકે, પ્રસાદની ઑનલાઈન ડિલિવરી માટે કોઈ જોગવાઈ નથી. આવી સ્થિતિમાં છેતરપિંડી કરનારા લોકોના ઉત્સાહનો લાભ લેવા માગે છે. તેથી નકલી લિંક્સથી સાવચેત રહો.

19 જાન્યુઆરીએ નોટિસ જાહેર કરવામાં આવી

દરમિયાન, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ એમેઝોન સેલર સર્વિસિસને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે, જે ઇ-કોમર્સ જાયન્ટના ભારતીય બજારનું સંચાલન કરે છે. 19 જાન્યુઆરીએ જાહેર કરાયેલ નોટિસમાં પ્લેટફોર્મ પર `શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ` નામથી ખાદ્ય ઉત્પાદનોના વેચાણને સંબોધવામાં આવ્યું હતું. એમેઝોનને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ સંભવિત કાનૂની કાર્યવાહી સાથે જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2024 09:23 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK