Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ ભાઈ જેલમાં ઓછા અને બહાર વધુ રહે છે

આ ભાઈ જેલમાં ઓછા અને બહાર વધુ રહે છે

Published : 29 January, 2025 11:55 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમને ચાર વર્ષમાં બારમી વાર પરોલ પર છોડવામાં આવ્યો

ગુરમીત રામ રહીમ સિંહ

ગુરમીત રામ રહીમ સિંહ


ડેરા સચ્ચા સૌદાના વિવાદાસ્પદ વડા ગુરમીત રામ રહીમ સિંહને ગયાં ચાર વર્ષમાં બારમી વાર ગઈ કાલે પરોલ પર છોડવામાં આવ્યો છે. તે ૩૦ દિવસ જેલની બહાર રહેશે. તેની બે અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં ગુરમીત રામ રહીમને ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં ૨૦ વર્ષની જેલની સજા કરવામાં આવી છે અને તેને હરિયાણામાં રોહતકની હાઈટેક સુનરિયા જેલમાં રાખવામાં આવ્યો છે. સુનરિયા જેલ ચંડીગઢથી ૨૫૦ કિલોમીટર દૂર રોહતકમાં આવેલી છે.

આ વખતે ફર્લોમાં તે સિરસામાં આવેલા ડેરાના આશ્રમમાં ૧૦ દિવસ રહેશે. ત્યાર બાદ તે ઉત્તર પ્રદેશના બાગપત જવા રવાના થશે. સજા થયા બાદ તે પહેલી વાર સિરસા જશે.



ગયા વર્ષે પાંચમી ઑક્ટોબરે હરિયાણાની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેને ૨૦ દિવસની પરોલ આપવામાં આવી હતી. મતદાનના ચાર દિવસ પહેલાં તેને છોડવામાં આવ્યો હતો. પંજાબ અને હરિયાણામાં તેના ઘણા અનુયાયી છે અને તે તેમના પર પ્રભુત્વ ધરાવે છે. મતદાનમાં તે ઘણો પ્રભાવ પાથરી શકે છે.


છેલ્લી વાર તે ગયા ઑક્ટોબરમાં પરોલ પર બહાર આવ્યો ત્યારે તેણે દિવંગત પિતાની પુણ્યતિથિ નિમિત્તે જેલમાંથી બહાર આવવાની માગણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 11:55 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK