આ લડાઈમાં તે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જતો રહ્યો હતો અને તેનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ ક્રૅશ થયું હતું, જેને લીધે તેણે દુશ્મનના પ્રદેશમાં કૂદવું પડ્યું હતું.
પાકિસ્તાનને જવાબ આપનારા ‘વીર’ને અભિનંદન
ઇન્ડિયન ઍરફોર્સના ગ્રુપ-કૅપ્ટન અભિનંદન વર્ધમાનનું ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. બાલાકોટ ઍરસ્ટ્રાઇકના એક દિવસ પછી ૨૭ ફેબ્રુઆરીએ અભિનંદને હવાઈ-યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનનું એફ-૧૬ ફાઇટર ઍરક્રાફ્ટ તોડી પાડ્યું હતું.
જોકે આ લડાઈમાં તે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જતો રહ્યો હતો અને તેનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ ક્રૅશ થયું હતું, જેને લીધે તેણે દુશ્મનના પ્રદેશમાં કૂદવું પડ્યું હતું.
એ પછી પાકિસ્તાનની આર્મીએ તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે ભારતે ખૂબ પ્રેશર કરતાં આખરે પાકિસ્તાનની આર્મીએ અભિનંદનને મુક્ત કરવો પડ્યો હતો.
ભારતે ૨૬ ફેબ્રુઆરીએ હવાઈ-હુમલો કરીને જૈશ-એ-મોહમ્મદની પાકિસ્તાનમાં રહેલી આતંકવાદી છાવણીઓનો સફાયો કર્યો હતો. અભિનંદનને રિસન્ટ્લી ગ્રુપ-કૅપ્ટનના રૅન્કનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.
આતંકવાદીઓનો સફાયો કરનારા જવાનોનું સન્માન
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મેજર મહેશકુમાર ભૂરેનું પણ શૌર્યચક્રથી સન્માન કર્યું હતું. એક ઑપરેશનમાં અભૂતપૂર્વ નેતૃત્વ અને સાહસ દાખવવા બદલ તેમને આ અવૉર્ડ આપ્યો હતો. ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પાર પાડવામાં આવેલા આ ઑપરેશનમાં છ ટોચના આતંકવાદી કમાન્ડર ઠાર મરાયા હતા.