સુપ્રિયોએ પોસ્ટ લખીને કહ્યું છે કે તેઓ રાજનીતિમાં ફક્ત સમાજસેવા માટે આવ્યા હતા
બાબુલ સુપ્રિયો
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બંગાળમાં બીજેપીના મોટા નેતા બાબુલ સુપ્રિયોએ રાજનીતિને અલવિદા કરી દીધી છે. સુપ્રિયોએ પોસ્ટ લખીને કહ્યું છે કે તેઓ રાજનીતિમાં ફક્ત સમાજસેવા માટે આવ્યા હતા. હવે તેઓએ પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સાંસદ પદેથી રાજીનામું આપશે. સુપ્રિયોએ કહ્યું છે કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી.