Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દાદાને ભારત રત્ન મળવા સાથે જ ઇન્ડિયા બ્લૉકને રામ-રામ કર્યું જયંત ચૌધરીએ

દાદાને ભારત રત્ન મળવા સાથે જ ઇન્ડિયા બ્લૉકને રામ-રામ કર્યું જયંત ચૌધરીએ

13 February, 2024 10:05 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અવસર પર આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ કહ્યું કે પોતે ઘણું સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે.

જયંત ચૌધરી

જયંત ચૌધરી


નવી દિલ્હી: રાષ્ટ્રીય લોક દળ સત્તાવાર રીતે સોમવારે બીજેપીની આગેવાનીવાળા નૅશનલ ડેમોક્રેટિકલ અલાયન્સ (એનડીએ)માં સામેલ થઈ ગયા છે. આ અવસર પર આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ કહ્યું કે પોતે ઘણું સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે. જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણ સિંહને ભારતરત્ન આપ્યા બાદથી એવી અટકળો વહેતી થઈ હતી કે તે વિપક્ષના ઇન્ડિયા બ્લૉક છોડીને એનડીએમાં સામેલ થઈ શકે છે. જેના પર આખરે મોહર લાગી ગઈ છે.


પશ્ચિમી યુપીને જાટ, ખેડૂત અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ ૨૭ સીટ છે અને ૨૦૧૯માં બીજેપીને ૧૯ સીટ પર જીત મળી હતી, જ્યારે ૮ સીટ પર વિપક્ષી ગઠબંધનનો કબજો હતો. એમાંથી ૪ એસપી અને ૪ બીએસપીના ખાતામાં ગઈ હતી, પણ આરએલડીને કોઈ સીટ પર જીત મળી નહોતી. ત્યાં સુધી કે જયંતને પશ્ચિમી યુપીમાં જાટ સમાજનો પણ સાથ મળ્યો નહોતો. એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીમાં પણ નિરાશ થવું પડ્યું હતું અને એક પણ સીટ મળી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 10:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK