મીડિયાને સંબોધતા, રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે તેમણે પોતાના જીવનના 15 વર્ષ પાર્ટીને સમર્પિત કર્યા હતા, પરંતુ પાર્ટી હવે તેના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. તેમણે કહ્યું, "જે AAP માટે મેં 15 વર્ષ સમર્પિત કર્યા હતા તે હવે પ્રામાણિકતાના રાજકારણથી દૂર થઈ ગઈ છે.
રાઘવ ચઢ્ઢા સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ
આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં સંસદ સભ્ય (MP) રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાનો નિર્ણય હવે જાહેર કરી દીધો છે. તેમની સાથે, રાજ્યસભામાં પાર્ટીના ઘણા અન્ય કેટલાક સાંસદો પણ ભાજપમાં જશે તેવી પણ માહિતી મળી રહી છે. આ ઘટનાક્રમને પાર્ટી અને તેના વડા અરવિંદ કેજરીવાલ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પાસે હાલમાં રાજ્યસભામાં કુલ 10 સાંસદો છે, અને તેમાંથી લગભગ બે-તૃતીયાંશ સાંસદો આ નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે સમજાવ્યું કે, બંધારણીય જોગવાઈઓ હેઠળ, બે-તૃતીયાંશ સાંસદોને અન્ય રાજકીય પક્ષ સાથે જવાની પરવાનગી છે. ચઢ્ઢાએ ટિપ્પણી કરી, "અમે રાજ્યસભાના અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણનને એક પત્ર સુપરત કર્યો છે અને તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સાંસદોએ આ પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી કાગળો પર હસ્તાક્ષર કરી દીધા છે.
ભાજપમાં જનાર સાંસદોમાં અનેક મોટા નામ સામેલ
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢા સાથે ભાજપમાં જોડાનારા સાંસદોની યાદીમાં સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજિન્દર ગુપ્તા અને વિક્રમ સાહનીનો સમાવેશ થાય છે.
કેમ લીધો આ નિર્ણય
#WATCH | 2/3rd MPs of AAP in Rajya Sabha announce merging with the BJP.
— ANI (@ANI) April 24, 2026
AAP MP Raghav Chadha says, "There are 10 AAP MPs in the Rajya Sabha, more than 2/3rd of them are with us in this. They have signed and this morning we submitted the signed letter and documents to the Rajya… pic.twitter.com/mn4kuYs2ht
મીડિયાને સંબોધતા, રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે તેમણે પોતાના જીવનના 15 વર્ષ પાર્ટીને સમર્પિત કર્યા હતા, પરંતુ પાર્ટી હવે તેના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. તેમણે કહ્યું, "જે AAP માટે મેં 15 વર્ષ સમર્પિત કર્યા હતા તે હવે પ્રામાણિકતાના રાજકારણથી દૂર થઈ ગઈ છે. હું ખોટા પક્ષમાં સાચો વ્યક્તિ છું. તેથી, હું લોકોની નજીક જવા માટે પાર્ટી છોડી રહ્યો છું." તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરોધી એજન્ડા છોડી દીધો છે જેના પર તેની સ્થાપના થઈ હતી.
પક્ષમાં આંતરિક મતભેદોનો વિવાદ
આ નિર્ણય એવા સમયે જાહેર થયો જ્યારે, થોડા અઠવાડિયા પહેલા જ, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, અને તેમના સ્થાને અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી હતી. પાર્ટીમાં આંતરિક અસંતોષ અને તેના નેતૃત્વ અંગેના મતભેદોના અહેવાલો પણ સમયાંતરે સપાટી પર આવી રહ્યા છે. પક્ષ છોડવાની જાહેરાત કરતા સંદીપ પાઠકે કહ્યું, “મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આવો દિવસ આવશે, પરંતુ આજે હું AAP સાથેના મારા બધા સંબંધો તોડી નાખું છું. મારો ઉદ્દેશ્ય હંમેશા દેશ માટે કામ કરવાનો રહ્યો છે.”
AAPની પ્રતિક્રિયા અને આરોપો
આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ સાંસદોની ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ ભાજપ ‘ઓપરેશન લોટસ’નું આયોજન કરી રહી છે. સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું પંજાબમાં ભગવંત માન સરકારના કાર્યને નબળી પાડવાનો પ્રયાસ છે, તેને સસ્તી રાજનીતિ ગણાવી. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે બધી ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને સંપૂર્ણ યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઘટનાક્રમ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સ્થાનને અસર કરે તેવી શક્યતા છે.
