ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 3 Idiotsના `ફુનસુક વાંગ્ડૂ`ને થઈ લદ્દાખની ચિંતા, પીએમ મોદીને લખ્યો પત્ર

3 Idiotsના `ફુનસુક વાંગ્ડૂ`ને થઈ લદ્દાખની ચિંતા, પીએમ મોદીને લખ્યો પત્ર

23 January, 2023 09:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ ફિલ્મ `3 ઇડિયટ્સ` જે શખ્સના જીવનથી પ્રેરિત હતી તેણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અપીલ કરી છે. હકિકતે સોનમ વાંગ્ચુક લદ્દાખને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે પીએમ મોદીને આગ્રહ કર્યો છે કે લદ્દાખની સુરક્ષા કરવામાં આવે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

બૉલિવૂડ ફિલ્મ `3 ઇડિયટ્સ` જે શખ્સના જીવનથી પ્રેરિત હતી તેણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) ખાસ અપીલ કરી છે. હકિકતે સોનમ વાંગ્ચુક લદ્દાખને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે પીએમ મોદીને આગ્રહ કર્યો છે કે લદ્દાખની સુરક્ષા કરવામાં આવે. તેમણે કહ્યું કે જો લદ્દાખમાં ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવી તો અહીં પહાડ નશવંત થઈ જશે. અહીંના પર્વતો બરબાદ થશે અને ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. આથી માત્ર ભારત નહીં પાડોશમાં પણ પાણીની અછત પેદા થશે.

તેમણે કહ્યું કે, લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષિત રાખવા જરૂરી છે જેથી અહીંની પ્રકૃતિ સુરક્ષિત રહે. તેમણે કહ્યું, જો લદ્દાખમાં આ પ્રકારના વેપાર, પર્યટન અને ઔદ્યોગીકરણ વધશે તો અહીં બધું ખતમ થઈ જશે. કાશ્મીર યૂનિવર્સિટીની તાજેતરની સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જો ગ્લેશિયર્સનું ધ્યાન નહીં રાખવામાં આવે તો બે તૃતિયાંશ ગ્લેશિયર ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે.

સોનમ વાંગ્ચૂકે કહ્યું કે, ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુ પરિવર્તન માત્ર અમેરિકા અને યૂરોપને કારણે જ નથી થતું. આમાં સ્થાનિક સ્તરે પ્રદૂષણ પણ મોટી ભૂમિકા ભજવે છે. લદ્દાખમાં માનવીય ગતિવિધિઓ ઓછી થવી જોઈએ જેથી ગ્લેશિયર જળવાઈ રહે. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જરૂરિયાત પર જોર આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાલય ક્ષેત્રોમાં ઉદ્યોગો દ્વારા થનારા દોહનને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી લોકોને રોજગાર અને જીવિકા બન્નેમાં મદદ મળશે.


આ પણ વાંચો : મહાત્માની હત્યા કરનાર ગોડસેની ફિલ્મ થશે બ્લૉક? PM પરની ડૉક્યૂમેન્ટ્રી પર ઓવૈસી

તેમણે કહ્યું, લોકોએ પણ પોતાના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનની ચિંતા કરવી પડશે. લોકોને આમ કરવાના પ્રયત્ન કરતા રહેવા જોઈએ જેથી પ્રકૃતિ આગામી પેઢી માટે જળવાઈ રહે. આ સિવાય લોકોએ અનાજ અને કપડા વેસ્ટ ન કરવા જોઈએ. આ બન્ને વસ્તુઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલમાં વીડિયો પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "લદ્દાખમાં ઑલ ઈઝ નૉટ વેલ". જણાવવાનું કે વાંગચુક ઈન્જિનિયરમાંથી શિક્ષાવિદ બન્યા છે. તેમને 2018માં મેગસાયસાય એવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા.


23 January, 2023 09:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK