ગુડગાંવમાં ૧૧ મરેલા કાગડા મળતાં બર્ડ ફ્લુ અલર્ટ
જયપુરના રામનિવાસ ગાર્ડન નજીક મરેલો કાગડો. દેશભરમાં આવા બનાવો ઘણી જગ્યાએ બન્યાં છે. (તસવીર: પી.ટી.આઈ)
હરિયાણાના ગુડગાંવમાં સતત બે દિવસમાં ત્રણ ઠેકાણે ૧૧ મરેલા કાગડા મળતાં બર્ડ ફ્લુના રોગચાળા બાબતે અલર્ટની સૂચના આપવામાં આવી છે. આ રીતે પક્ષીઓના મૃત્યુની ઘટનાઓને પગલે સરકારના પશુપાલન, વન્યજીવન અને આરોગ્ય વિભાગો સતર્ક થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કાગડાઓના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ મરેલા કાગડાના સૅમ્પલ્સ વેટરનરી પેથોલોજિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એ લેબોરેટરીનો રિપોર્ટ મળ્યા પછી કાગડા મરવાનું કારણ સ્પષ્ટ થશે.’