Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામમાં ૧૦૩ વર્ષનાં કનકલતા દાસે જીવનભરની બચત પૂરગ્રસ્તોને દાનમાં આપી દીધી

આસામમાં ૧૦૩ વર્ષનાં કનકલતા દાસે જીવનભરની બચત પૂરગ્રસ્તોને દાનમાં આપી દીધી

Published : 20 August, 2026 10:35 AM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ ૨૬૪ કિલોમીટરનું અંતર કાપીને સોમવારે શિવસાગર જિલ્લા કમિશનરની ઑફિસમાં ગયાં હતાં

સોમવારે આસામના શિવસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કમિશનર મૃદુલ યાદવને મળીને કનકલતા દાસે પોતાની બચત તેમને સોંપી હતી

સોમવારે આસામના શિવસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કમિશનર મૃદુલ યાદવને મળીને કનકલતા દાસે પોતાની બચત તેમને સોંપી હતી


આસામના સોનિતપુર જિલ્લાના મજરોઈમારી ગામનાં ૧૦૩ વર્ષનાં કનકલતા દાસે પૂરગ્રસ્તો માટે પોતાની જીવનભરની બચત દાનમાં આપી દીધી છે. તેમની ઉદારતાએ રાજ્યભરના લોકોનાં દિલ જીતી લીધાં છે.



કનકલતા દાસના આ યોગદાનથી અભિભૂત થઈને કમિશનર તેમને પગે લાગ્યા હતા


તાજેતરના પૂરને કારણે શિવસાગર જિલ્લાના અમગુરી ગાર્ડન વિસ્તારના રહેવાસીઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એ જાણ્યા પછી કનકલતા દાસે આ પરિવારોને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ ૨૬૪ કિલોમીટરનું અંતર કાપીને સોમવારે શિવસાગર જિલ્લા કમિશનરની ઑફિસમાં ગયાં હતાં જ્યાં તેમણે ૧.૫૪ લાખ રૂપિયાની તમામ બચત ડોનેટ કરી દીધી હતી. તેમણે ૭૭ પૂરગ્રસ્ત પરિવારોમાંથી દરેકને ૨૦૦૦ રૂપિયાનું દાન આપ્યું હતું. ડિસ્ટ્રિક્ટ કમિશનર મૃદુલ યાદવે દાન સ્વીકાર્યું અને તેમની ઉદારતા બદલ તેમનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 10:35 AM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK