સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ગુરુવારે મહારાષ્ટ્રમાં જૂન 2022ની રાજકીય કટોકટી પર પોતાનો આદેશ જાહેર કર્યો હતો. એકનાથ શિંદે સરકારને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપી શકતી નથી કારણ કે તેમણે ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વિના રાજીનામું આપ્યું હતું.