Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > ડોમ્બિવલી ફેક્ટરીના બોઈલર બ્લાસ્ટ કેસમાં કડક પગલાં લેવાશે: સીએમ શિંદે

ડોમ્બિવલી ફેક્ટરીના બોઈલર બ્લાસ્ટ કેસમાં કડક પગલાં લેવાશે: સીએમ શિંદે

24 May, 2024 12:51 IST | Thane

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 23 મેના રોજ ડોમ્બિવલીના એમઆઇડીસી કેમિકલ ફેક્ટરીમાં થયેલા ભીષણ બોઇલર બ્લાસ્ટની ઘટના બાદ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ મામલે તરત જ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. શિંદેએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આવી જોખમી ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારોની બહાર ખસેડવાની યોજના જાહેર કરી હતી. તેમણે બ્લાસ્ટ અંગે તપાસનો અને જવાબદાર લોકો સામે કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. રાજ્ય સરકારે મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય, ઘાયલોની સારવાર પાછળનો ખર્ચ અને પ્રભાવિત કર્મચારીઓને વળતર આપવાની પણ ખાતરી જાહેર કરી છે. શિંદેએ આ વિસ્તારની બીજી ફેક્ટરીઓ અને રહેણાંક મિલ્કતો પર આ બ્લાસ્ટના પ્રભાવની નિંદા કરી અને જલદીથી કોઈ પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

24 May, 2024 12:51 IST | Thane

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK