ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > ભિવંડી બિલ્ડીંગ ધરાશાયી:આઠ મોત, દસ ઘાયલ; CM શિંદે અને PM મોદીએ કરી મદદની જાહેરાત

ભિવંડી બિલ્ડીંગ ધરાશાયી:આઠ મોત, દસ ઘાયલ; CM શિંદે અને PM મોદીએ કરી મદદની જાહેરાત

02 May, 2023 04:49 IST | Mumbai

થાણે: ભિવંડીના ગ્રામીણ ભાગોમાં આવેલા વાલપાડા ગામમાં વર્ધમાન કમ્પાઉન્ડમાં શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ એક 10 વર્ષ જૂની ગ્રાઉન્ડ-પ્લસ-ત્રણ માળની ઇમારત ધસી પડી હતી. બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે ગોડાઉન અને ઉપરના માળે ટેનામેન્ટ્સમાં ચાર પરિવારો રહેતા હતા. 22 રહેવાસીઓ કાટમાળમાં ફસાયા હોવાનું માનવામાં આવે છે જેમાંથી 10 ઘાયલોને ભિવંડીની ઈન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની મદદથી રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાના 45 કલાકથી વધુ સમય બાદ બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘટના સ્થળની મુલાકાત લીધા પછી આઈજીએમ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેઓ ઘાયલોને મળ્યા. મુખ્યમંત્રીએ મૃતકોના દરેક પરિવારને ₹5 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ PMNRF તરફથી મૃતકના વારસદારોને 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી..

02 May, 2023 04:49 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK