Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંગળવારે મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં પાણીપુરવઠો બંધ રહેશે

મંગળવારે મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં પાણીપુરવઠો બંધ રહેશે

28 May, 2022 11:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે આ સમય દરમ્યાન પાણીની ખેંચ સહન કરવી પડે એ માટે આગલા દિવસે પાણીની વ્યવસ્થા કરી રાખવી અને પછીના દિવસે પાણી સાચવીને વાપરવું. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલી-પૂર્વમાં આવેલા લોખંડવાલા કૉમ્પ્લેક્સ ખાતેની ૧૮૦૦ એમએમની પાણીની પાઇપલાઇન સાથે ૧૫૦૦ એમએમની પાણીની પાઇપલાઇન જોડવાનું કામ તેમ જ કાંદિવલી-પૂર્વમાં જ આવેલા ઠાકુર કૉમ્પ્લેક્સ ખાતેની ૧૮૦૦ એમએમની પાઇપલાઇન બીજા સ્થળે ખસેડવાનું કામ મંગળવાર, ૩૧ મેએ સવારે ૮.૩૦ વાગ્યે શરૂ કરીને બીજા દિવસે સવારે ૮.૩૦ વાગ્યા સુધી હાથ ધરાશે. આથી મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસર-પૂર્વમાં આવેલા મોટા ભાગના વિસ્તારમાં ૨૪ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે. બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે આ સમય દરમ્યાન પાણીની ખેંચ સહન કરવી પડે એ માટે આગલા દિવસે પાણીની વ્યવસ્થા કરી રાખવી અને પછીના દિવસે પાણી સાચવીને વાપરવું. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2022 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK