Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારના રમાબાઈ બિલ્ડિંગની દુર્ઘટનામાં વધુ ચાર ડેવલપર્સ અને જમીનમાલિકોની ધરપકડ

વિરારના રમાબાઈ બિલ્ડિંગની દુર્ઘટનામાં વધુ ચાર ડેવલપર્સ અને જમીનમાલિકોની ધરપકડ

Published : 01 September, 2025 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્યાર બાદ ૨૦૨૦માં પાલિકાએ બિલ્ડિંગના સમારકામ માટે નોટિસ મોકલી હતી. એમ છતાં ડેવલપર કે જમીનમાલિક દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટની એક વિંગ તૂટી પડતાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બિલ્ડિંગ ગેરકાયદે રીતે ઊભું કરાયું હોવાના આરોપસર દુર્ઘટના બાદ બિલ્ડર નિતલ સાનેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપાયા બાદ તાજેતરમાં જ ૪ ડેવલપર્સ અને જમીનમાલિકની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

વિરારના નારંગી વિસ્તારમાં આવેલા રમાબાઈ અપાર્ટમેન્ટ માટે જમીનમાલિક પરશુરામ દળવીએ નિતલ સાને સાથે કરાર કર્યો હતો. પરશુરામ દળવીના મૃત્યુ બાદ તેમની બે પુત્રીઓ અને જમાઈઓએ આ કરાર ચાલુ રાખ્યો હતો. ગેરકાયદે રીતે બિલ્ડિંગ ઊભું કરી દેવાયું અને ત્યાર બાદ ૨૦૨૦માં પાલિકાએ બિલ્ડિંગના સમારકામ માટે નોટિસ મોકલી હતી. એમ છતાં ડેવલપર કે જમીનમાલિક દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.



આ કેસના અનુસંધાનમાં ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે શુભાંગી ભોઈર, સુરેન્દ્ર ભોઈર, સંધ્યા પાટીલ અને મંગેશ પાટીલની ધરપકડ કરીને તેમને ૧૪ દિવસ જુડિશિયલ કસ્ટડીમાં રાખ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK