Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઔરંગઝેબની કબર ઉખેડીને દેશની બહાર ફેંકી દો

ઔરંગઝેબની કબર ઉખેડીને દેશની બહાર ફેંકી દો

Published : 19 March, 2025 08:23 AM | Modified : 19 March, 2025 08:35 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ પણ કરી માગણી

ઉદયનરાજે ભોસલે

ઉદયનરાજે ભોસલે


ક્રૂર શાસક ઔરંગઝેબની કબરને હટાવવા માટે રાજ્યમાં વાતાવરણ ગરમ છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘નાગપુરમાં જે થયું એનું સમર્થન કોઈ ન કરી શકે. રમખાણ કરનારાઓને જાત-પાત નથી હોતી. હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે નહીં પણ એક નાગરિક તરીકે કહી રહ્યો છું કે ઔરંગઝેબની કબર ઉખેડીને દેશની બહાર ફેંકી દેવી જોઈએ. છ‌ત્રપતિ શિવાજી મહારાજ એકમાત્ર રાજા હતા જેમણે સર્વધર્મ સમભાવને પ્રોત્સાહન આપ્યું હતું. લોકશાહીનો ઢાંચો તૈયાર કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું હતું એટલે તેમની તુલના કોઈ સાથે ન થઈ શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ શિવાજી મહારાજના વિચારને આચરણમાં લાવવાનું કામ કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે વહેલી તકે શિવાજી મહારાજ અને ‌સંભાજી મહારાજનો ઇતિહાસ પ્રકાશિત કરવો જોઈએ જેથી કોઈ વિવાદ જ ન રહે.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 March, 2025 08:35 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK