કોરોના માહામારીને કારણે આર્થિક તંગી ભોગવતા અનેક વાલીઓએ સ્કૂલ-ફીમાં રાહત આપવામાં આવે એ માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. હાલ પણ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા હોવાથી સ્કૂલો બંધ છે અને બાળકોને ઑનલાઇન ભણાવાઈ રહ્યાં છે.
વર્ષા ગાયકવાડ
રાજ્ય સરકારે હાલના ચાલુ શૈક્ષણિક વર્ષ માટેની ફીમાં ૧૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય બુધવારે લીધો હતો. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયનો વિગતવાર ઑર્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે રાજસ્થાન સરકારે આ સંદર્ભે લીધેલા નિર્ણયને અનુસરીને મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
કોરોના માહામારીને કારણે આર્થિક તંગી ભોગવતા અનેક વાલીઓએ સ્કૂલ-ફીમાં રાહત આપવામાં આવે એ માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. હાલ પણ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા હોવાથી સ્કૂલો બંધ છે અને બાળકોને ઑનલાઇન ભણાવાઈ રહ્યાં છે.
વર્ષા ગાયકવાડે વધુમાં કહ્યું હતું કે ‘સ્ટેટ બોર્ડ સાથે જ અન્ય એજ્યુકેશન બોર્ડે પણ રાજ્ય સરકારને કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકારના ફી ઓછી કરવા સંદર્ભેના નિયમોનું પાલન કરવા બંધાયેલા છે. સરકારના આદેશમાં વિવિધ બાબતોને આવરી લેવાશે જેથી વાલીઓ અને સ્કૂલ મૅનેજમેન્ટ વચ્ચે કોઈ ગેરસમજ ઊભી ન થાય.’