કસ્ટમ્સે શનિવાર અને રવિવાર દરમ્યાન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી દાણચોરીનો સામાન પકડી પાડ્યો હતો.
ઍરપોર્ટ કસ્ટમ્સે પકડી પાડ્યાં સોનાના તારથી ગૂંથેલો ડ્રેસ અને હીરાજડિત સોનાની ઘડિયાળ
કસ્ટમ્સે શનિવાર અને રવિવાર દરમ્યાન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી દાણચોરીનો સામાન પકડી પાડ્યો હતો. પહેલા કિસ્સામાં UAEના એક શહેરમાંથી મુંબઈ આવી રહેલા ભારતીય નાગરિક પાસેથી ૧૮ કૅરૅટ સોનાની હીરાજડિત વૈભવી રિસ્ટવૉચ જપ્ત કરી હતી, જ્યારે બીજા કિસ્સામાં જેદ્દાહથી મુંબઈ આવી રહેલા પૅસેન્જરની હૅન્ડબૅગમાંથી સોનાના તારથી ભરતગૂંથણ કરાયેલો ડ્રેસ મળી આવ્યો હતો. કુલ ૯ કેસમાં પૅસેન્જરો પાસેથી ૨.૭૮ કિલોનું સોનું અને વૉચ મળી કુલ ૧.૭૧ કરોડની દાણચોરીની મતા જપ્ત કરવામાં આવી હતી.