Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મૈત્રી ધાગ્યાશી નાહી મૈત્રી વાઘાશી

મૈત્રી ધાગ્યાશી નાહી મૈત્રી વાઘાશી

Published : 04 May, 2025 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માતોશ્રીની બહારના રસ્તા પર લગાડવામાં આવેલા શિંદેસેનાના બૅનર પર શિવબંધન બાંધતા ઉદ્ધવ ઠાકરેના હાથ સાથે લખવામાં આવ્યું…

માતોશ્રી પાસે ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનાનું આ બૅનર જોવા મળ્યું હતું.

માતોશ્રી પાસે ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનાનું આ બૅનર જોવા મળ્યું હતું.


વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યભરમાં ઉદ્ધવ ઠાકરેને જોરદાર ટક્કર આપનારા એકનાથ શિંદેએ હવે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સામેની લડતની શરૂઆત કરી હોવાનું જણાઈ આવ્યું છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના બાંદરા-ઈસ્ટના કલાનગર ખાતેના માતોશ્રી બંગલાની બહારના રસ્તા પર એકનાથ શિંદેની શિવસેનાનું એક બૅનર લગાડવામાં આવ્યું હતું. આ બૅનરમાં ઉદ્ધવ ઠાકરેનો હાથ કોઈને શિવબંધન બાંધતો દેખાડવામાં આવ્યો હતો અને એની બાજુમાં એકનાથ શિંદેનો ફોટો મૂકવામાં આવ્યો હતો. બૅનરના નીચેના ભાગમાં મૈત્રી ધાગ્યાશી નાહી, મૈત્રી વાઘાશી લખવામાં આવ્યું હતું. માતોશ્રીની બહાર લાગેલું આ બૅનર ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. 


વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેએ રાજ્યભરમાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ મુંબઈમાં તેઓ ઉદ્ધવ ઠાકરેને જોઈએ એવી ટક્કર નહોતી આપી શક્યા. પરિણામે મુંબઈમાં ઉદ્ધવસેનાએ ૧૦ બેઠક મેળવી હતી. મુંબઈમાં પણ ઉદ્ધવ ઠાકરેની તાકાતને પડકારવા માટે એકનાથ શિંદેએ કમર કસી છે અને તેમણે આગામી ચૂંટણી માટેની તૈયારી માતોશ્રીની બહાર બૅનર લગાવીને કરી હોવાની ચર્ચા થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK