Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Politics: બળવાખોર ધારાસભ્યો પર કરીશું ખુલાસો.. સંજય રાઉતનો એકનાથ શિંદે પર વાર

Maharashtra Politics: બળવાખોર ધારાસભ્યો પર કરીશું ખુલાસો.. સંજય રાઉતનો એકનાથ શિંદે પર વાર

23 June, 2022 05:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ (Maharashtra Political Crisis)વચ્ચે શિવસેના (Shiv sena) સાંસદ સંજય રાઉત( Sanjay Raut)એ દાવો કર્યો છે કે તેમની પાર્ટી હજી પણ મજબુત છે.

સંજય રાઉત

સંજય રાઉત


મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ (Maharashtra Political Crisis)વચ્ચે શિવસેના (Shiv sena) સાંસદ સંજય રાઉત( Sanjay Raut)એ દાવો કર્યો છે કે તેમની પાર્ટી હજી પણ મજબુત છે. કેટલાક લોકોએ દબાણમાં પાર્ટી છોડી દીધી છે. પરંતુ અત્યારે પણ અમારી પાસે શિવસેનાના લાખો કાર્યકરો છે જેઓ સંપૂર્ણ સમર્થન સાથે પાર્ટી સાથે ઉભા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ખુલાસો કરશે કે બળવાખોર ધારાસભ્ય શા માટે એકનાથ શિંદે સાથે ગયા અને શા માટે પાર્ટીમાં બળવો થયો.

તેમણે વધુમાં કહ્યું, અમને આવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો અનુભવ છે. આ દરમિયાન રાઉતે એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેના ભક્ત બોલવાથી કંઈ થતું નથી. હાલમાં અમારા 20 જેટલા ધારાસભ્યો સંપર્કમાં છે. જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે સત્ય સામે આવશે.



નોંધનીય છે કે બળવાખોર એકનાથ શિંદેએ પોતાની પાસે 48 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. ગુવાહાટીમાં શિવસેનાના 41 ધારાસભ્યો આ સમયે ઉપલબ્ધ છે. તો બીજી બાજુ ઉદ્ધવ પાસે શિવસેનાના 16 ધારાસભ્યો જ છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK