Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીમાં તેરમાની વિધિમાં ગયેલા પરિવારના ઘરને ટાર્ગેટ કરી ચોરો ચાર લાખ રૂપિયાની માલમતા સેરવી ગયા

ડોમ્બિવલીમાં તેરમાની વિધિમાં ગયેલા પરિવારના ઘરને ટાર્ગેટ કરી ચોરો ચાર લાખ રૂપિયાની માલમતા સેરવી ગયા

Published : 30 July, 2025 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતો ૩૩ વર્ષનો સાઈનાથ પિતા વિષ્ણુ પાટીલની તેરમાની વિધિ કરવા પરિવાર સાથે ઘરની બહાર ગયો એ સમયે તેના ઘરમાંથી ચાર લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ માનપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધવામાં આવી હતી. પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

માનપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સાંદિપાન શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા સાઈનાથના પિતા થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા. સોમવારે તેમની તેરમાની વિધિ રાખવામાં આવી હતી જેના માટે આખો પરિવાર એ વિધિ માટે સવારથી જ ઘરની બહાર ગયો હતો. એ વિધિ પૂરી થયા બાદ જ્યારે આખો પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોયો હતો. અંદર જઈ તપાસ કરતાં મંગળસૂત્ર, ચેઇન, બંગડી એમ આશરે ચાર લાખ રૂપિયાના દાગીના કબાટમાંથી ચોરાયા હોવાની જાણ થઈ હતી. અંતે ઘટનાની માહિતી અમને આપવામાં આવતાં અમે ચોરીની ફરિયાદ નોંધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2025 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK