અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે : કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી માર્કેટની હાલતમાં તસુભરનો પણ સુધારો થતો નથી એવી વેપારીઓની ફરિયાદો સામે નવી મુંબઈના વાશીની એપીએમસીના અધિકારીએ કહ્યું કે અમે વેપારીઓની સેવા કરવા જ બેઠા છીએ
નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલી મસાલા બજારની ‘ડી’ વિંગના ગાળા-નંબર ૬૪ પાસે પડેલો ખાડો અને દાણાબજારના કથળી ગયેલા બિસમાર રસ્તા.
નવી મુંબઈસ્થિત મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની મસાલાબજાર અને દાણાબજારના રોડ અને ગટરોની નૂતનીકરણની લાંબા સમયની વેપારીઓની માગ પછી પણ ફન્ડ ન હોવાથી આ કામો થતાં નથી એવી જાણકારી ચોમાસામાં એ સમયના એપીએમસીના સેક્રેટરીએ આપી હતી. જોકે ગઈ કાલે એપીએમસીનાં જાળવણી કાર્યો સંભાળી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘રોડ અને ગટરોના નૂતનીકરણ માટેનું ટેન્ડર નીકળી ગયું છે અને હવે ચોક્કસ એપ્રિલ મહિનામાં નૂતનીકરણ શરૂ થઈ જશે અને વેપારીઓને રાહત થશે. જો અમે વેપારીઓની સમસ્યાઓનું નિરાકરણ નહીં કરીએ તો અહીં બેસીને ફાયદો શું છે?’
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)