Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Ram Navami: મહારાષ્ટ્રમાં આશરે 400 લોકો વિરુદ્ધ FIR દાખલ, જાણો વિવાદનું કારણ

Ram Navami: મહારાષ્ટ્રમાં આશરે 400 લોકો વિરુદ્ધ FIR દાખલ, જાણો વિવાદનું કારણ

31 March, 2023 09:57 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રામ નવમી (Ram Navami) પર મહારાષ્ટ્રમાં શોભા યાત્રા દરિમાનય બનેલી ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના નેતાઓ આને પોલીસની બેદરકારી ગણાવી રહ્યા છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


30 જાન્યુઆરી એટલે કે રામ નવમી(Ram Navami 2023) ના રોજ દેશભરમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ આ વખતે પણ શોભા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. બંગાળ અને મહારાષ્ટ્ર(Maharashtra)સહિત અનેક સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે શોભા યાત્રા મુંબઈ(Mumbai)ના મલાડ(Malad)માં માલવાણી પોલીસ સ્ટેશન પાસે પૂરી થવા જઈ રહી હતી ત્યારે રસ્તાની બીજી બાજુના લોકો સરઘસની પાછળ દોડતા ભીડ વચ્ચે આવી ગયા. એક પક્ષે આરોપ લગાવ્યો છે કે વાતાવરણને બળજબરીથી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસે લોકોને બળજબરીથી બહાર કાઢવા પડ્યા હતા. આ દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મામલો શાંત પાડવા માટે પોલીસ દ્વારા એક પક્ષને દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના નેતાઓ આ દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

વિવાદ કેવી રીતે થયો?



શોભા યાત્રા દરમિયાન તે 3 ભાગોને વટાવીને પોલીસ સ્ટેશનની સામે તેના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. પણ ટોળાનો ચોથો ભાગ પાછળ રહી ગયો. ભગવાન શ્રી રામની મૂર્તિ પણ ચોથા ભાગમાં જ હતી. આ દરમિયાન જ્યારે ટોળાના ચોથા ભાગ દ્વારા જય શ્રી રામના નામની ઘોષણા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન રસ્તાની બીજી બાજુ ઉભેલા લોકોએ હિન્દુ તરફ પાણીની બોટલ ફેંકી દીધી હતી. આ અંગે જે તસવીરો શેર કરવામાં આવી છે તે જોઈને સ્પષ્ટપણે માલુમ પડે છે કે મુસ્લિમ સમાજના લોકોએ પાણીની બોટલ ફેંકી હતી. તે જ સમયે આ પછી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.જેવી હિન્દુ પક્ષ પર પાણીની બોટલ ફેંકવામાં આવી એવી તરત જ બીજી બાજુના પક્ષે પણ બોટલ ફેંકી. 


આ પણ વાંચો: Mumbai Local: સમયથી પહેલા ચાલી રહી છે લોકલ, ટ્રેન છૂટતા જનતામાં આક્રોશ

300-400 લોકો વિરુદ્ધ FIR દાખલ


આ પછી ફરજ પરના SRPF, RCP સહિતની સ્થાનિક પોલીસની ટીમે ધાર્મિક વાતાવરણ ન બગડે અને હિંસા ન થાય તે માટે રસ્તાની બીજી બાજુએ આવેલા  લોકોને બળજબરીથી હટાવ્યા હતા. આ દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી બંને તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પછી પોલીસે બળપૂર્વક ભીડને હટાવી દીધી હતી. ત્યાર બાદ હિન્દુ પક્ષના કેટલાક લોકોએ ચપ્પલ પણ ફેંક્યા હતા. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના નેતાઓ આને પોલીસની બેદરકારી ગણાવી રહ્યા છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ મામલે લગભગ 300 થી 400 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2023 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK