Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રવાસની તારીખથી છને બદલે નવ મહિના સુધી ટિકિટ કૅન્સલેશનનું રીફંડ મળશે

પ્રવાસની તારીખથી છને બદલે નવ મહિના સુધી ટિકિટ કૅન્સલેશનનું રીફંડ મળશે

07 January, 2021 09:30 AM IST | Mumbai
Rajendra B Aklekar

પ્રવાસની તારીખથી છને બદલે નવ મહિના સુધી ટિકિટ કૅન્સલેશનનું રીફંડ મળશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ભારતીય રેલવેએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ટિકિટ કૅન્સલ કરવાનો સમયગાળો વધારીને નવ મહિનાનો કરી દીધો છે, કારણ કે ઘણા લોકો તેમની ટિકિટ કૅન્સલ કરાવીને હાલના છ મહિનાના ગાળામાં રિફન્ડ મેળવવા સક્ષમ નથી.

ઘણા પેસેન્જરોએ હજી તેમની બુક થયેલી ટિકિટો માટેનું રિફન્ડ મેળવવું બાકી છે, તેથી ઘણી ઝોનલ રેલવેએ સૂચનો અને વિનંતી કર્યાં હતાં, જેને પગલે ટિકિટ કૅન્સલ કરવા માટે અને રિફન્ડ મેળવવા માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, તેમ ભારતીય રેલવેએ યાદીમાં જણાવ્યું હતું.



અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ નાણાં ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવે મહામારીને કારણે કૅન્સલ થયેલી ટ્રેનોનું પૂરું રિફન્ડ ચૂકવશે. સ્ટેશન પર બુકિંગ કરનારા પેસેન્જરો કાઉન્ટર પર તેમની ટિકિટો જમા કરાવીને ડિપાર્ચર ડેટ (ટ્રેન ઉપડવા તારીખ)ના નવ મહિનાની અંદર રિફન્ડ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ભારતીય રેલવે જ્યારે પણ ટ્રેન રદ કરે ત્યારે ઑટોમેટિક ઑનલાઇન રિફન્ડ મેળવશે.


મુંબઈ સેન્ટ્રલ બનશે નાના જગન્નાથ શંકરશેઠ ટર્મિનસ

શિવસેનાના નેતા અને દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલ રેલવે ટર્મિનસને ટૂંક સમયમાં જ નવું નામ અપાશે. ટર્મિનસનું નામ ૧૯મી સદીના મહાન પરોપકારી નાના જગન્નાથ શંકરશેઠ પરથી રાખવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે માર્ચમાં દરખાસ્ત મંજૂર કરી હતી અને હવે કેન્દ્રએ મંજૂરીની આખરી પ્રક્રિયા હાથ ધરી છે, તેમ સાવંતે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 09:30 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK