Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્મારકો પરથી અતિક્રમણ દૂર કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી

સ્મારકો પરથી અતિક્રમણ દૂર કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી

Published : 18 December, 2025 08:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં રાજ્ય દ્વારા સંર‌િક્ષત સ્મારકો પર થયેલા અતિક્રમણને દૂર કરવા માટેના પ્રસ્તાવને મહારાષ્ટ્ર કૅબિનેટે બુધવારે મંજૂરી આપી હતી

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્રમાં રાજ્ય દ્વારા સંર‌િક્ષત સ્મારકો પર થયેલા અતિક્રમણને દૂર કરવા માટેના પ્રસ્તાવને મહારાષ્ટ્ર કૅબિનેટે બુધવારે મંજૂરી આપી હતી. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી રાજ્યભરનાં ઐતિહાસિક સ્મારકોના એરિયામાંથી અતિક્રમણ દૂર કરવા માટે હવે કડક પગલાં ભરવામાં આવશે.
રાજ્યના ઐતિહાસિક કિલ્લાઓ પર અતિક્રમણ દૂર કરવા બાબતે ૨૦ જાન્યુઆરીએ ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) ઇશ્યુ કરવામાં આવ્યો હતો. આ GRના વ્યાપનો વિસ્તાર કરીને એમાં હવે કિલ્લાઓ સાથે રાજ્યમાં રહેલાં ૩૯૦ જેટલા સ્ટેટ-પ્રોટેક્ટેડ મૉન્યુમેન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંડળે આ માટે સ્ટેટ લેવલ કમિટીની રચનાને પણ મંજૂરી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2025 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK